SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮) મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ હજાર સાધ્વી, બે લાખ સત્તાવન હજાર શ્રાવક, ચાર લાખ બે હજાર શ્રાવિકા. તેઓની બસો ધનુષ્યની દેહ. વીસ લાખ પૂર્વ વરસનું આયુષ્ય. સુવર્ણવર્ણ, સ્વસ્તિકનું લંછન અને, તેઓશ્રીના મસ્તકે પાંચ અથવા સાત ફેણ હોય છે. સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. ચંદ્રપદં વંદે કહેતાં, આઠમા શ્રીચંદ્રપ્રભુસ્વામીને હું વંદન કરું છું. વળી ચંદ્ર સરખો જેઓનો વર્ણ છે તથા ચંદ્રપ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે, તેઓશ્રીની માતા લક્ષ્મણા રાણીને, ચંદ્રપાન કરવાનો દોહદ થયો હતો, જે પ્રધાને પોતાની બુદ્ધિથી પૂર્ણ કર્યો હતો. તેના મહિમાથી પ્રભુનું નામ ચંદ્રપ્રભ પાડવામાં આવ્યું હતું. તેઓ ચંદ્રપુરી નગરીના મહસેન રાજાની, લક્ષ્મણ રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયા હતા. શ્રીચંદ્રપ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી. શ્રીચંદ્રપ્રભુને દિન્ન પ્રમુખ ત્રાણું ગણધર. બે લાખ પાંચ હજાર સાધુ, સુમના પ્રમુખ, ત્રણ લાખ, એંશી હજાર સાધ્વી, બે લાખ પાંચ હજાર શ્રાવક, ચાર લાખ એકાણું હજાર શ્રાવિકા. ચંદ્રપ્રભુની દોઢસો ધનુષની દેહ, દશ લાખ પૂર્વ વરસનું આયુષ્ય, શ્વેતવર્ણ, અને સમેતશિખર પર્વત ઊપર મોક્ષ. ચંદ્રનું લંછન. - सुबिहिं च पुफ्फदंतं सीअल सिज्जंस वासुपूज्जं च ॥ विमलमणंत ज जिणं, धम्म संतिं च वंदामि ॥३॥ સુવિર્દિ કહતાં, નવમા શ્રીવિશ્વનાથને રે કહતાં, વળી. પુરૂંત બીજું નામ પુષ્પદંત છે તેઓને હું વંદન કરું છું. શોભન છે વિધિ જેનો અથવા સર્વ સ્થલે છે કૌશલ્ય જેમનું. સુવિધિનાથ ગર્ભમાં આવવાથી, તેઓશ્રીનાં માતા પિતા સારી રીતે ધર્મકરણી કરવા લાગ્યાં, આવો ગર્ભનો પ્રભાવ જાણી પ્રભુનું નામ સુવિધિ રાખવામાં આવ્યું હતું. વળી, મચકુંદના ફૂલની કળી જેવા ઉજવલ, પ્રભુનાં દાંત હોવાની બીજું નામ પુષ્પદંત રાખ્યું હતું. તેઓ કાકંદી નગરીનાં સુગ્રીવ રાજાની, રામા નામની રાણીની કુક્ષિથી ઉગ્ન થયા હતા. શ્રીસુવિધિનાથપ્રભુએ, એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી. તેઓને વરાહ પ્રમુખ, અઠયાસી ગણધર, બે લાખ સાધુ, એક લાખ વીશ હજાર સાધ્વી, બે લાખ ઓગણત્રીસ હજાર શ્રાવક, ચાર લાખ, ઈકોતેર હજાર શ્રાવિકા. શ્રી સુવિધિનાથનો સો ધનુષ્યનો દેહ, બે લાખ પૂર્વ વરસનું આયુષ્ય. શ્વેતવર્ણ અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. મગરમચ્છનું લંછનું. સીન કહતાં, દશમા શ્રીશતનનાથ ને હું વંદન કરું છું. સમસ્ત જીવોનાં સંતોપને હરણ કરે છે, માટે શીતલનાથ. વળી, શીતલનાથ પ્રભુના પિતાને દાહજવર ઉત્પન્ન થયો હતો. તે પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, દૃઢરથ રાજાના શરીર ઉપર રાણી નંદાએ હાથ ફેરવવાથી, દાહજવર ઉપશાંત થયો. રાજાના શરીરે શીતલતા થઈ. તે માટે પ્રભુનું નામ શીતલ પાડવામાં આવ્યું હતું. શીતલનાથ પ્રભુ ભદિલપુર નગરનાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy