SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર અને ધનનો ખપ નથી, મારા પુત્રને જીવતો રાખી, મોટીને જ સોંપી દો. એનો પુત્ર તે મ્હારો જ છે. આ પ્રમાણે સાંભળીને સુમંગલા રાણી બોલ્યાં કે, આ છોકરો નાની સ્ત્રીનો જ છે. કારણ કે, છોકરાનાં બે ભાગ કરવાનું કહેવા છતાં પણ મોટી સ્રી કાંઈ બોલી નહીં, અને નાની સ્રીનો છોકરો હેાવાથી, તેણીએ તેના કકડા કરવાની ના પાડી; એનો છોકરો અને મિલકત સોંપી દો, અને મોટીને ઘરની બહાર કાઢો. આવી ન્યાયી બુદ્ધિ ગર્ભના પ્રભાવથી ઉત્પન્ન થવાથી પ્રભુનું નામ સુમતિ પાડવામાં આવ્યું હતું. અયોધ્યા નગરીના મેઘરથ રાજાની, સુમંગલા નામની રાણીનીકુક્ષી સુમતિનાથ પ્રભુનો જનમ થયો હતો. સુમતિનાથ પ્રભુને, ચમર પ્રમુખ એક્સો ગણધર, ત્રણ લાખ, વીશ હજાર સાધુ, વાત્સમી પ્રમુખ પાંચ લાખ ત્રીસ હજાર સાધ્વી, બે લાખ એક્યાસી હજાર શ્રાવક, પાંચ લાખ છ હજાર શ્રાવિકા, સુમતિનાથ પ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. ત્રણસો ધનુષ પ્રમાણ પ્રભુનું શરીર, ચાલીસ લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણવર્ણ, ક્રૌંચ પક્ષીનું લંછન અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. ૭૯ પરમવ્પદં કહતાં છઠ્ઠા પદ્મપ્રભુસ્વામીને હું વંદન કરું છું. પદ્મપ્રભુ એટલે. નિષ્કપતાને અંગીકાર કરીને પદ્મના સમૂહ સરખી છે, પ્રભા એટલે કાંતિ જેમની તેથી પદ્મપ્રભ કહીએ. વળી, પ્રભુ ગર્ભે આવ્યા પછી, તેઓની માતાને પદ્મ એટલે કમલની શય્યા ઉપર સૂઈ રહેવાનો દોહલો ઉત્પન્ન થયો હતો, જે દેવતાએ પૂર્ણ કર્યો હતો. તેના મહિમાંથી પ્રભુનું નામ પદ્મપ્રભુ પાડવામાં આવ્યું હતું. તેઓ કોશાંબી નગરીના રાજા ઘરની રાણી સુસીમાની કુક્ષિથી ઉત્પન્ન થયા હતા. પદ્મપ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી. પદ્મપ્રભુને સજ્જ પ્રમુખ એક્સો આઠ ગણધર, ત્રણ લાખ ત્રીસ હજાર સાધુ, ધુસ્તા પ્રમુખ ત્રણ લાખ વીસ હજાર સાધ્વી, બે લાખ છોંતેર હજાર શ્રાવક, પાંચ લાખ પાંચ હજાર શ્રાવિકા, તેઓની અઢીસો ધનુષ્યની દેહ, ત્રીસ લાખ પૂર્વ વરસનું આયુષ્ય, રક્તવર્ણ, પદ્મનું લંછન અને સમેતશિખર પર્વત ઊપર મોક્ષ. સુવાસં કહતા, સાતમા શ્રીસુપાર્શ્વનાથને હું વંદન કરું છું. સુપાર્શ્વ એટલે સારાં છે પડખાં જેમને. વળી, પ્રભુ ગર્ભમાં આવવાથી તેઓની માતા પણ સુપાર્શ્વ થયાં, એટલે સુપાર્શ્વનાથની માતાના બંને પડખાં કોડના રોગવાળાં હતાં તે, સુવર્ણવર્ણવાળા થયાં તેથી પ્રભુનું નામ સુપાર્શ્વ પાડવામાં આવ્યું હતું. તેઓ વારાણાસી નગરીના સુપ્રતિષ્ઠ રાજાની, પૃથ્વી રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયાં હતાં. શ્રીસુપાર્શ્વપ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. સુપાર્શ્વનાથને વૈદર્ભ પ્રમુખ એક્સોને પાંચ ગણધર, ત્રણ લાખ સાધુ, સૌમ્ય પ્રમુખ ચાર લાખ વીસ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy