SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ હજાર પુરુષની સાથે પ્રભુએ દીક્ષા લીધી હતી અને તેઓનું નિર્વાણ સમેતશિખર પર્વત ઉપર થયું હતું. સંભવ કહતાં, ત્રીજા સંભવનાથ પ્રભુને વાંદુ છું. પ્રભુનાં જનમ પહેલાં દેશમાં દુકાળ હતો, પરંતુ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી ઓચિંતા વરસાદ પડ્યો. પરદેશથી અનાજનાં વહાણો આવ્યાં અને પૃથ્વી ઉપર ખૂબ અનાજ વગેરે પાકવાથી માતા પિતાએ પ્રભુનું નામ સંભવ પાડ્યું. સંભવનાથ પ્રભુ શ્રાવતી નગરીના જિતારિ રાજાની, સેનાદે નામની રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયા હતા. સંભવનાથ પ્રભુએ એક હજાર માણસો સાથે દીક્ષા લીધી હતી. તેઓને ચાદત્ત પ્રમુખ એક્સોને બે ગણધર હતા. સોમાદિત્ય વગેરે બે લાખ સાધુ, શ્યામા પ્રમુખ ત્રણ લાખ, છત્રીસ હજાર સાધ્વી, વિલાસ વગેરે બે લાખ તાણું હજાર શ્રાવક અને છ લાખ, છત્રીસ હજાર શ્રાવિકા, ચારસો ધનુષ્યનું શરીર પ્રમાણ સાઠ લાખ પૂર્વ વરસનું આયુષ્ય, સુવર્ણ વર્ણ, અશ્વ લંછન અને સમેતશિખર પર્વત ઊપર મોક્ષ. મિiાં ૨ કહતાં, વળી, ચોથા શ્રીઅભિનંદન સ્વાનીને, હું વંદન કરું છું. એટલે દેવેન્દ્ર વગેરે, પ્રભુ ગર્ભમમાં આવ્યા પછી હંમેશાં શકેંદ્ર પ્રભુની સ્તુતિ કરવા આવતા હોવાથી પ્રભુનું શમન નામ પાડવામાં આવ્યું હતું. અયોધ્યા નગરીના સંવર નામના રાજાની, સિદ્ધાર્થા નામની રાણીની કુક્ષિથી પ્રભુ અભિનંદન સ્વામીનો જન્મ થયો હતો. અભિનંદન સ્વામીને, વજનાભ પ્રમુખ એક્સો ગણધર, ત્રણ લાખ સાધુ, અજિતા પ્રમુખ છ લાખ, છત્રીસ સાધ્વી. બે લાખ અઠાવીસ હજાર શ્રાવક, પાંચ લાખ, સત્તાવીસ હજાર શ્રાવિકા. પ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. સાડાત્રણસેં ધનુષ્ય પ્રમાણે પ્રભુનું શરીર, પચાસ લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણવર્ણ, વાનર લંછન અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. સુર કહતાં, પાંચમા સુમતિનાથ પ્રભુને હું વંદન કરું છું. વળી, પ્રભુ ગર્ભમાં આવ્યા પછી એક વણિકની બે સ્ત્રીઓ હતી. તેમાં નાની સ્ત્રીને એક પુત્ર હતો અને મોટી સ્ત્રી પુત્ર વગરની હતી. બંને સ્ત્રીઓ પુત્રનું લાલન પાલન કરતી હતી. પુત્રનો પિતા આકસ્મિક રોગથી મૃત્યુ પામ્યો. તે વખતે, મોટી સ્ત્રી ધનના લોભને લીધે કહેવા લાગી કે, આ પુત્ર મહારો છે; અને તેથી મિલકત પણ મને જ મળવી જોઈએ. આ બંને શોક્યોનો પુત્રને માટેનો ઝઘડો દરબારમાં ગયો: મેઘરથ રાજાની બુદ્ધિ આ તકરારાનો ન્યાય આપી શકી નહીં. તે વખતે, ગર્ભના મહિમાથી સુમંગલા રાણીએ કહ્યું કે, તમે બંને શોક્યો, ધનને અડધો અડધ ભાગ કરીને બેંચી લો, અને આ છોકરાનો પણ અડધો અડધ ભાગ કરીને ખેંચી લો. તે સાંભળીને, નાની સ્ત્રી, કે જે છોકરાની સગી મા હતી, તે બોલી કે હારે મિલકત જોઈતી નથી, અને છોકરાના બે ભાગ થઈ શકે નહીં, મ્હારેં પુત્રનો Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy