SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુસુંદર ગણિકત પડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર કાંઈ તૂટી રહી ગઈ હોય તો “તસ્સ મિચ્છા મિ દુક્કડ” તે સબંધી મારું પાપ નિષ્ફળ થાઓ. પછી પંચાંગ પ્રણામ કરી ઉભા થઈ યોગમુદ્રા સાચવીને ચૈત્યસ્તવનું દંડક કહે છે. અરહંતની ચેત્યપ્રતિમાનું પૂજન, વસ્ત્ર-આભરણ આદિથી પૂજા કરે છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજાનું ફળ કહે છે. સાધુને પૂજાનો નિષેધ છે. તીર્થંકરના ગુણનું સ્તવન કરે છે. શ્રદ્ધાથી, મેધાથી, ધૃતિથી, ધારણાથી, અનુપ્રેક્ષાથી અને વૃદ્ધિમાનપણાથી કાયોત્સર્ગ કરે છે. નવકારમંત્રથી અરિહંત ઉપાધ્યાય, સર્વ સાધુઓને-પંચ પરમેષ્ઠી નમસ્કાર કરે છે. “સંસાર દાવાનલનું વર્ણન કરીને મહાવીરને નમસ્કાર કરે છે. તે મહાવીરસ્વામી કેવા છે? સંસારરૂપી દાવાનલને હોલવવા માટે રણમાં પાણી સમાન છે. અજ્ઞાનરૂપી ધૂળને દૂર કરવા માટે સમીર-વાયુ સમાન છે. માયારૂપિણી રસામૃથ્વીને વિદારવા માટે તીક્ષ્ણ હળરૂપ છે. પર્વતોમાં શ્રેષ્ઠ મેરૂપર્વતની જેમ નિશ્ચલ છે. એવા મહાવીરને નમસ્કાર કરીને ચૈત્યસ્તવ બાલાવબોધ સમાપ્ત કરે છે. ચતુર્વિશતિસ્તવનમાં ચોવીસ જિનનાં નામ કહ્યાં છે. શ્રી ઋષભદેવ-વિનીતા નગરીના રાજા નાભિ, અને મેરૂદેવી માતાના પુત્ર તેમનું ઋષભ નામ કેમ પડ્યું ? દરેક તીર્થકરની માતાએ, પહેલા સુપનમાં હાથી દેખ્યો, પરંતુ ઋષભદેવની માતાએ પહેલા સુપનમાં વૃષભ દેખવાથી, પ્રથમ તીર્થંકરનું નામ ઋષભ પાડવામાં આવ્યું. ઋષભદેવજીને, શ્રી પુંડરીકસ્વામી વગેરે ચોરાસી ગણધર, ચોરાશી હજાર સાધુઓ, સુંદર પ્રમુખ ત્રણ લાખ સાધ્વીઓ, ત્રણ લાખ પાંચ હજાર શ્રાવક, પ૫૪000 પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકા, પાંચસો ધનુષ્ય પ્રમાણ દેહ. ચોરાસી લાખ પૂર્વનું આયુષ્ય. સુવર્ણવર્ણ વૃષભ, લંછન, ચાર હજાર સાધુઓ સાથે દીક્ષા અને અષ્ટાપદ પર્વત ઉપર નિર્વાણ. બિ વ વંઢે કહતાં, બીજા અજિતનાથ પ્રભુને હું વાદું છું. અજિત એટલે પરીષહાદિકે કરીને નહીં જિતાય એવા. વળી પ્રભુના માતા-પિાત, પહેલાં કોઈક વખત બાજી રમતાં હતાં ત્યારે, રાણી બાજી હારી જતાં હતાં. પરંતુ, પ્રભુ ગર્ભમાં આવ્યા પછી પ્રભુની માતા હંમેશાં જીતતાં હતાં, એવો ગર્ભનો મહિમા જાણી પ્રભુનું અજિત નામ રાખવામાં આવ્યું. તેઓ અયોધ્યા નગરીના જિતશત્રુ રાજા અને વિજયારાણીના પુત્ર હતા. અજિતનાથ પ્રભુને એક લાખ સાધુ, ફલ્ગશ્રી પ્રમુખ ત્રણ લાખ ત્રીસ હજાર સાધ્વી, બે લાખ અઠાણું હજાર શ્રાવક અને પાંચ લાખ પીસતાલીસ હાર શ્રાવિકા હતી. પ્રભુની સાડાચારસો ધનુષની કાયા હતી, બહોતેર લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય અને સુવર્ણ વર્ણની કાયા તથા હાથીનું લંછન હતું. એક Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy