SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ ધર્મ દેવાવાળા ધર્મ ઉપદેશક. ધર્મના નાયક અર્થાત પ્રવર્તક. ધર્મના સારથી રથ દ્વારા સુખપૂર્વક તેના ધારેલા સ્થાનકે પહોંચાડે છે તે પ્રમાણે ભવ્ય પ્રાણીઓને ધર્મરૂપી રથ વડે સુખપૂર્વક મોક્ષ સ્થાન પર પહોંચાડવાવાળા. દાન શીલ તપ અને ભાવથી નરક આદિ ચાર ગતિઓનો અથવા ચાર કષાયોનો અત્ત કરવાવાળા, અથવા ચાર દાન-શીલ-તપ અને ભાવથી અત્ત – રમણીય, અથવા દાન આદિ ચાર અત્ત - અવનવવાળા, અથવા દાન આદિ ચાર અન્ત સ્વરૂપવાળા. શ્રેષ્ઠ ધર્મને “ધર્મવરચાતુરન્ત” કહે છે, એ જ જન્મ જરા અને મરણનું નાશક હોવાથી ચક્ર સમાન છે એટસે ધર્મવરચાતુરન્ત રૂપ ચક્રના ધારક. અહિંઆ “વર પદ આપવાથી રાજચક્રની અપેક્ષા ધર્મચક્રની ઉત્કૃષ્ટતા તથા સૌગત આદિ ધર્મનું નિરાકરણ કરવામાં આવ્યું છે. કારણ કે - રાજચક્ર કેવલ આ લોકનું સાધન છે, પરલોકનું નથી, તથા સૌગત આદિ ધર્મ યથાર્થ તત્વનું નિરૂપક ન હોવાથી તે શ્રેષ્ઠ નથી. “ચક્રવર્તિ પદ આપવાથી તીર્થકરોને છ ખંડના અધિપતિ રાજાની ઉપમા આપી છે, કારણ કે તે રાજા પણ ચાર, અર્થાત્ ઉત્તર દિશામાં હિમવાનું અને પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં લવણ સમુદ્ર સીમા જેની છે એવા ભરત ક્ષેત્ર પર એકશાસન રાજ્ય કરે છે. સંસારસમુદ્રમાં ડૂબતા જીવોને એકમાત્ર આશ્રય હોવાથી દીપ સમાન, કર્મોથી સંતાપ પામેલા ભવ્ય જીવોની રક્ષામાં દક્ષ હોવાથી (કુશળ હોવાથી) ત્રાણરૂપ, તેઓને શરણ દેવાવાળા હોવાથી શરણરૂપ-આશ્રયસ્થાન, ત્રણે કાલમાં અવિનાશી સ્વરૂપવાળા હોવાથી પ્રતિષ્ઠાન રૂપ. આવરણરહિત કેવલજ્ઞાન કેવલ દર્શનના ધારક, જ્ઞાનાવરણીય આદિ કર્મોનો નાશ કરવાવાળા, રાગ-દ્વેષરૂપ શત્રુઓને પોતે જ જીતવાવાળા અને બીજાઓને જીતાવવાળા, ભાવસમુદ્રને પોતે તરવાવાળાં અને બીજાને તારવાવાળા, સ્વયે બોધ પ્રાપ્ત કરનારા અને બીજાને બોધ પ્રાપ્ત કરાવનારા. સ્વયં મુક્ત થવાવાળા અને બીજાને મુક્ત કરનારા, સર્વજ્ઞ, સર્વદર્શી તથા નિરૂપદ્રવ, નિશ્ચલ, કર્મરોગ રહિત, અનન્ત, અક્ષય, બાધા રહિત, પુનરાગમન રહિત, એવા સિદ્ધ સ્થાન અર્થાત્ મોક્ષને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવાનને તથા મોક્ષને પામવાવાળા અરિહન્ત ભગવાનને નમસ્કાર છે. આ પ્રમાણે નમસ્કારપર્યન્ત પ્રત્યાખ્યાનની વિધિ કરીને હવે તેને પાળવાની વિધિ બતાવે છે. “સિય” ઈત્યાદિ. મારાથી સ્વીકૃત પ્રત્યાખ્યાનનું શરીર આદિથી સમ્યફ સેવન, વાર વાર ઉપયોગ રાખીને સંરક્ષણ, અતિચાર શોધન, સમાપ્તિ સમય થવા છતાંય થોડીવાર વિશ્રામ, - પ્રત્યાખ્યાનમાં અમુક અમુક વિધિ કરવી જોઈએ તે મેં સર્વ કરી લીધી એ પ્રમાણે નામ-ગ્રહણ-પૂર્વક ગુરુની પાસે નિવેદન, મર્યાદાપૂર્વક અંતઃકરણથી સેવન તથા ભગવાનની આજ્ઞા પ્રમાણે પાલન કર્યું છે, તો પણ પ્રમાદ રહેવાથી તેમાં જે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy