SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુસુંદરગણિત પડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ૭પ હંમેશાં નિર્લેપ રહે છે અને પોતાના અલૌકિક સુગંધ આદિ ગુણોથી દેવ મનુષ્ય આદિના શિરનું આભૂષણ બને છે, તેવી જ રીતે ભગવાન કર્મરૂપ કાદવથી ઉત્પન્ન અને ભોગરૂપ જલથી વધીને પણ એ બન્નેનો સંસર્ગ ત્યજી નિર્લેપ રહે છે, અને કેવલં જ્ઞાન આદિ ગુણોથી પરિપૂર્ણ રહેવાના કારણે ભવ્ય જીવોને શિરોધાર્ય થાય છે જેનો ગંધ સુંઘતા જ સર્વ હાથી ડરીને ભાગી જાય છે તે હાથીને “ગબ્ધ હસ્તી” કહે છે તે ગંધહસ્તીના આશ્રયથી જેમ રાજા હમેશાં વિજયી થાય છે તે પ્રમાણે ભગવાનના અતિશયથી દેશના અતિવૃષ્ટિ અનાદિવૃષ્ટિ આદિ સ્વચક્ર પરચક્ર ભય પર્યન્ત છ પ્રકારની ઈતિ અને મહામારી આદિ સર્વ ઉપદ્રવો તત્કાલ દૂર થઈ જાય છે, અને આશ્રિત ભવ્ય જીવો સદાય સર્વ પ્રકારથી વિજયવાનું થાય છે. ચોત્રીસ અતિશયો અને વાણીના પાંત્રીસ ગુણોથી યુક્ત હોવાના કારણે લોકોમાં ઉત્તમ, અલબ્ધ રત્નત્રયના લાભારૂપ યોગ અને લબ્ધ રત્નત્રયના પાલનરૂપ ક્ષેમના કારણ હોવાથી ભવ્ય જીવોના નાયક, એકેન્દ્રિય આદિ સકલ પ્રાણિગણના હિતકારક, જે પ્રમાણે દીપક સર્વને માટે સમાન પ્રકાશ આપનાર છે તો પણ નેત્રવાળા જીવો જ તેનો લાભ પ્રાપ્ત કરી શકે છે, અને નેત્રહીન પ્રાપ્ત કરી શકતા નથી. તે પ્રમાણે ભગવાનનો ઉપદેશ સૌના માટે સમાન હિતકર હોવા છતાંય ભવ્ય જીવો જ તેનો લાભ પામી શકે છે, અભવ્ય જીવો પામી શકતા નથી. એટલા માટે ભવ્ય જીવોના હૃદયમાં અનાદિ કાલથી રહેલ મિથ્યાત્વરૂપ અન્ધકારને નિવારણ કરી આત્માના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરવાવાળા, (લોક શબ્દથી આ સ્થળે લોક અને અલોક બન્નેનું ગ્રહણ કરેલું છે, એટલા માટે) કેવળજ્ઞાન રૂપી આલોક (પ્રકાશ) થી સમસ્ત લોકાલોકનો પ્રકાશ કરવાવાળા, મોક્ષના સાધક, ઉત્કૃષ્ટ ધૈર્યરૂપી અભયના દેવાવાળા, અથવા સમસ્ત પ્રાણીઓના સંકટને છોડાવવાવાળી દયા (અનુકમ્પા) ના ધારક, જ્ઞાન નેત્રના આપવાવાળા, અર્થાત્ જેમ કોઈ ગાઢ વનમાં લુંટારાથી લુંટાએલા અને નેત્ર ઉપર પાટા બાંધીને તથા હાથ પગને પકડીને ઊંડા ખાડામાં ફેંકી દીધા હોય તેવા મુસાફરને કોઈ દયાળુ માણસ આવીને તેના તમામ બંધનો તોડીને નેત્રને ખોલી આપે છે, એ પ્રમાણે ભગવાન પણ સંસાર રુપિ વિષમ વનમાં રાગદેષ રૂપી લુંટારાઓથી જ્ઞાનાદિ ગુણ લુંટ એલા તથા કદાગ્રહ રૂપી પાટા બાંધી જ્ઞાનનેત્રને ઢાંકીને મિથ્યાત્વ રૂપ ખાડામાં નાંખેલા કે સમ્યફ રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગ, અથવા વિશિષ્ટ ગુણ પ્રાપ્ત કરાવનાર ક્ષયોપશમ ભાવ રૂપ માર્ગના આપવાવાળા. કર્મશાઓથી દુઃખિત પ્રાણિઓને શરણ-આશ્રય દેનારા, પૃથ્વી આદિ ષડજીવનિકાયમાં દયા રાખવાવાળા, અથવા મુનિઓના જીવનાધાર સ્વરૂપ સંયમજીવનના દેવાવાળા, સમય સંવેગ આદિના પ્રકાશક, અથવા જિનવચનમાં રુચિ આપનારા, દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરનાર, અથવા શ્રુત-ચરિત્ર રૂપ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy