SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ તથા અનંત દુર્ગોણોથી યુક્ત અને ચાર ગતિરૂપ અનંત સંસારમાં પરિભ્રમણ કરાવનાર-માયા આદિ ભાવશલ્યોનું પામરોથી સહન થવું ઘણું જ કઠણ છે તે માટે ભાવશલ્યોને દૂર કરવા, તથા જ્ઞાનાવરણીય વિગેરે પાપ (આઠ) કર્મોનો નાશ કરવા માટે હું કાયોત્સર્ગ કરું છું. પણ એમાં શ્વાસ લેવો તથા મૂકવો, ખાંસી ખાવી, છીંક ખાવી, બગાસું ખાવું, ઓડકાર ખાવો, અપાનવાયુનો સ્ત્રાવ થવો, પિત્તપ્રકોપથી અંધારા આવવા, મૂચ્છ આવવી, સૂક્ષ્મપણે અંગોનું હલન ચલન થવું તથા ફરકવું, કફ, થુંક વિગેરેનો સંચાર થવો, તેમજ દૃષ્ટિનું સંચાલન થવું વગેરે આગાર છે. અહિં આદિ શબ્દથી અગ્નિ, જલ, ડાકુ, રાજા, સિંહ, સર્પ, દીવાલ તથા છતનું પડી જવું વિગેરે ઉપદ્રવોથી અથવા બિલાડી વિગેરે હિંસક પ્રાણીઓથી ઘેરાયેલ ઉંદર વિગેરે જીવોને દયા ભાવથી છોડાવવા માટે સ્થાનફેર કરવો વિગેરે આચારોનું ગ્રહણ કરવું જોઈએ. ઉચ્છવસિતાદિ આગાર અધિકારિયો (ધ્યાનસ્થ ઓછી વધુ શક્તિની અપેક્ષાથી કહ્યું છે. આ આગારોથી મારા તથા વિરાધિત નહિ થાય, ક્યાં સુધી ? કે જ્યાં સુધી નમસ્કાર કરીને ધ્યાન પૂરો ન કરી લઉં ત્યાં સુધી, એ મૌનથી વચનને અને ચિત્તની એકાગ્રતાથી આત્માને વેસ) કાઉસગના ૧૯ દોષ છે : ૧. ઘાટકદોષ ૨. કુડ્યદોષ ૪. માલદોષ, ૫. શબરીદોષ, ૬, વધુદોષ, ૭. નિરદોષ ૯. સ્તનદોષ, ૧૦, ઉદ્ધિદોષ, ૧૧. સંયતીદોષ, ૧૨. ૧૩, વાયસદોષ, ૧૪, કપિત્થદોષ ૧૫. શીર્ષકમ્પદોષ, ૧૬. ૧૭. લિબૂદોષ, ૧૮. વારુણીદોષ, ૧૯. પ્રેક્ષાદોષ. ઈર્યાપથિકી બાલાવબોધની સમાપ્તિમાં પરાજિત કરનાર કાલિકાચાર્ય અને અઈમુત્તા ચેલાનો ઉલ્લેખ છે. ત્યારબાદ શિષ્ય પંચાગ પ્રણામ કરી યોગમુદ્રા કરીને ચૈત્યવંદના કરે છે અને “નમોત્થણે' નો પાઠ બોલે છે. અરિહંત ચોસઠ ઇંદ્રાદિકની પૂજા કરનાર, અરિ અર્થાત્ રાગાદિ અંતરંગ વૈરિને જીતનાર અને ભગવંત ઠાકુરાત અર્થાત્ ઠાકુરાત, રૂપ, કીર્તિ, લક્ષ્મી, ધર્મ અને બલ એ છ ને કારણે પૂજવા યોગ્ય છે તે. કર્મરૂપ શત્રુનો જીતવાવાળા અરિહન્ત અને સિદ્ધ ભગવાનને નમસ્કાર થાય. શ્રતચારિત્ર રૂપ ધર્મની આદિ કરવાવાળા, જેનાથી સંસારસમુદ્ર તરી શકાય તેને “તીર્થ” કહે છે તે, તે તીર્થ ચાર પ્રકારના છે, સાધુ-સાધ્વી, શ્રાવક અને, શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરવાવાળા, સ્વયં બોધને પ્રાપ્ત કરવાવાળા જ્ઞાનાદિ અનન્ત ગુણોના ધારક હોવાથી પુરુષોમાં શ્રેષ્ઠ, રાગદ્વેષ આદિ શત્રુઓનો પરાજય કરવામાં અલૌકિક પરાક્રમશાલી હોવાથી પુરુષોમાં સિંહ સમાન, સર્વ પ્રકારના અશુભ રૂપ મલથી રહિત હોવાના કારણે વિશુદ્ધ શ્વેત કમલના જેવા નિર્મલ, અથવા જેમ કાદવમાંથી ઉત્પન્ન અને જલ-પાણીના યોગથી વધેલો હોવા છતાં કમલ એ બન્નેનો સંસર્ગ ત્યજી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy