SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર આઠ વાણવ્યંતર-અણપત્રી ૧, પણપછી ૨, ઈસિવાદી ૩. ભૂતવાદી ૪, કંદી ૫, મહાકંદી ૬, કોઠંડી ૭, અને પતક ૮, જાણવા. દશ જ્યોતિષી ચંદ્રમા ૧, સૂર્ય ૨, ગ્રહ ૩. નક્ષત્ર ૪, તારા ૫ આ પાંચે મનુષ્ય લોકમાં ફરે છે, તે માટે ચર જ્યોતિષી કહેવાય છે, અને મનુષ્યલોકની બહાર જે જ્યોતિષી દેવતાઓ છે તે, સ્થિર રહેતા હોવાથી સ્થિર જ્યોતિષી કહેવાય છે. કિક્વિષિ દેવના ત્રણ ભેદ છે, દેવતાઓમાં નીચ જાતિના દેવતાઓને કિલ્ટિષિયા કહેવાય છે. તિર્યકભકદેવના દશ ભેદ છે, લોકાંતિક દેવ નવ પ્રકારના છે. ૭૩ બાર દેવલોક-સૌંધર્મ ૧, ઈશાન ૨, સનકુમાર ૩. માહેંદ્ર ૪. બ્રહ્મ ૫. લાંતક ૬. શુક્ર ૭, સહસ્રાર ૮, આણત ૯, પ્રાણથ ૧૦, આરણ ૧૧ અને અચ્યુત ૧૨, એ વૈમાનિક દેવ જાણવા. નવ પ્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના, એ સર્વ મળીને નવાણું ભેદ થયા. તે પર્યાપ્ત તથા અપર્યાપ્તા, એ બે મલી. એક્સોને અઠાણું ભેદ થયા. તેમાં પાછલા ત્રણસોને પાંસઠ ભેગા કરીએ ત્યારે, પાંચસોને ત્રેસઠ સર્વ જીવોનાં ઉત્પત્તિ સ્થાનિક થાય. તેને અમિયા વગેરેથી દશ ગણા કરીએ, ત્યારે પાંચ હજાર છસોંને ત્રીશ થાય. તે વળી, રાગને દ્વેષથી બમણા કરીએ, ત્યારે અગિયાર હજાર બસોને સાઠ થાય. તે વળી, મન વચન અને કાયાએ કરી, ત્રણ ગણા કરીએ ત્યારે; તેત્રીશ હજાર, સાતસોને એંશી થાય. તે કરવા, કરાવવા અને અનુમોદવા એ કરી, ત્રણ ગણા કરીએ ત્યારે, એક લાખ, એક હજાર, ત્રણસોને ચાલીસ થાય, તે વળી, અતીત, અનાગત અને વર્તમાન કાળે કરીને ત્રણ ગણા કરીએ, ત્યારે ત્રણ લાખ, ચાર હજા૨ને વીશ થાય. તે અરિહંતની શાખે. સિદ્ધની શાખે, સાધુની શાખે, દેવની શાખે, ગુરુની શાખે, તથા આત્માની શાખે, એ છ શાખે છ ગણા કરીએ, ત્યારે અઢાર લાખ, ચોવીસ હજાર, એક્સોને વીસ, મિચ્છામિદુક્કડં થાય, આવી રીતે સર્વ જીવને, ખમતખામણાં કરવા. ઈરિયાવહી પડિક્કમતાં શુભધ્યાન કરવાથી, અનેક અઘોર પાપનો ક્ષય થાય. પ્રાયશ્ચિતકરણ અને પાપવિશુદ્ધિ માટે સાધક કાયોત્સર્ગ કરે છે અતિચારોરૂપ શલ્યને દૂર કરીને વિશુદ્ધિકરણ ક૨વાની આવશ્યકતા છે. દ્રવ્યશલ્ય સહન કરવા સહજ છે પરંતુ ઋદ્ધયાદિ ત્રણ ગૌરવો (ગારવ) નો નાશ થવાના ડરથી અથવા જાતિ વગેરે આઠ પ્રકારના મદને લીધે પોતાની અંદર જ છુપાયેલ-મુનિઓના મુક્તિસાધન ઉત્કૃષ્ટ તપ વિગેરે ક્રિયારૂપ કોમલ-કલ્પલતાને કાતરવામાં કાતર સમાન, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy