SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ષડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ ૧૭ આસ્રવનિરોધથી તૃષ્ણાક્ષય થાય છે, અને સાધક મોક્ષનો અધિકારી બને છે.. પ્રત્યાખ્યાન એ ત્યાગસંબંધી પ્રતિજ્ઞા કે આત્મસંકલ્પ છે. અશુભ કર્મો ન કરવાં -એટલું જ પર્યાપ્ત નથી, પરંતુ તે ન કરવા માટેનો દઢ સંકલ્પ પણ જરૂરી છે. જૈનધર્મની માન્યતા અનુસાર દુષ્કૃત્યો કરનાર વ્યક્તિ દુષ્કૃત્યો કરવાનું બંધ કરે, તે સાથે દુષ્કૃત્યો નહિ કરવાની પ્રતિજ્ઞા પણ તેણે લેવી જોઈએ. દુષ્કૃત્યો નહિ કરવાની પ્રતિજ્ઞા લીધા પછી જ તે દોષમુક્ત થઈ શકે છે. પ્રતિજ્ઞાના અભાવમાં માત્ર પરિસ્થિતિને કારણે જ વ્યક્તિ દુરાચારમાં પ્રવૃત્ત થતા અટકે તો તે દોષમુક્ત થઈ શકે નહિ, જેમ કે કારાગારમાં પૂરાયેલો ચોર ચોરી કરી શકતો નથી, તેટલા પૂરતો તે ચૌર્યકર્મમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. પ્રત્યાખ્યાન દુરાચારમાંથી મુક્ત થવા માટે કરેલો ૬ઢ સંકલ્પ છે. તેના અભાવમાં નૈતિક દૃષ્ટિએ જીવનવિકાસ શક્ય નથી. સ્થાનાંગસૂત્રમાં પ્રત્યાખ્યાન શુદ્ધિ માટે પાંચ વસ્તુઓનું વિધાન છે : ૧. શ્રદ્ધાન – શુદ્ધ ૨. વિનય -- શુદ્ધ ૩. અનુભાષણ – શુદ્ધ ૪. અનુપાલન – શુદ્ધ ૫. ભાવ - શુદ્ધ આ પાંચની ઉપસ્થિતિમાં લીધેલી પ્રતિજ્ઞા જ શુદ્ધ અને નૈતિક પ્રગતિમાં ઉપયોગી થઈ શકે છે. શ્રી મેરુસુંદરગણિએ પ્રસ્તુત બાલાવબોધમાં પ્રત્યાખ્યાનની શુદ્ધિ વગેરે વિશે ઊંડી વિચારણા કરી છે. અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ – આ ચાર પ્રકારની આહારવિધિ છે. આ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો તે આહાર-પ્રત્યાખાન છે. જે શીઘ્રતાથી સુધાનો શાંત કરે છે તે અશન છે. જે પ્રાણ અર્થાત્ ઇન્દ્રિયાદિને તૃપ્ત કરે છે, તેના પર ઉપકાર કરે છે તે પાન છે. જે આકાશ-અવકાશ માં સમાય છે, અર્થાત્ ઉદરના રિક્ત સ્થાનમાં સમાઈ જાય છે તે ખાદિમ છે. જે સ-રસ આહારના ગુણોનો સ્વાદ પ્રદાન કરે છે તે સ્વાદિમ છે. પ્રત્યાખ્યાનના ગુણ તરફ ધ્યાન આકૃષ્ટ કરતા આચાર્ય જણાવે છે કે પ્રત્યાખ્યાનથી આમ્રવના દ્વારા અર્થાત કર્માગમનના દ્વાર બંધ થઈ જાય છે, ફલતઃ આસ્રવનો ઉચ્છેદ થઈ જાય છે. આસ્રવનો નાશ થવાથી તૃષ્ણાનો નાશ થાય છે. તૃષ્ણાનો નાશ થવાથી મનુષ્યના હૃદય-મનમાં અતુલ ઉપશમ અર્થાત્ મધ્યસ્થભાવ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy