SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ અભ્યાસ થઈ શકવો, ધ્યાનકાયોત્સર્ગમાં ધ્યાન સહજ રીતે થવું. આધુનિક વિજ્ઞાન અને શરીરશાસ્ત્રની દૃષ્ટિએ પણ શરીરના આરોગ્ય માટે કાયોત્સર્ગ લાભદાયી છે. શરીર અને મનની નિવૃત્ત અવસ્થા સ્નાયુઓને તાજગી આપે છે, અને માનસિક આવેગો દૂર થતા વધુ સ્વસ્થતા અનુભવી શકાય છે. ૬. પ્રત્યાખ્યાન : ઈચ્છાઓના નિરોધ માટે પ્રત્યાખ્યાન આવશ્યક કર્તવ્ય છે. પ્રત્યાખ્યાનનો અર્થ છે, પ્રવૃત્તિઓને મર્યાદિત અથવા સીમિત કરવી. પ્રત્યાખ્યાનનો અર્થ ત્યાગ પણ કરવામાં આવે છે. સંયમપૂર્ણ જીવન માટે ત્યાગ આવશ્યક છે. સાધક આત્મશુદ્ધિ માટે પ્રતિદિન કોઈને કોઈ પ્રકારનો ત્યાગ કરે છે. નિયમિત ત્યાગનો અભ્યાસ કરવાથી સાધનમાર્ગ વિકાસ થાય છે. અનાસક્તિનો ભાવ ૬ઢ બને છે અને તૃષ્ણા ક્ષય પામે છે. દૈનિક પ્રત્યાખ્યાનમાં સામાન્ય રીતે તે દિવસ માટે કોઈ પણ વસ્તુના ત્યાગની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. પ્રત્યાખ્યાનના મુખ્ય બે પ્રકાર છે દ્રવ્ય પ્રત્યાખ્યાન અને ભાવ પ્રત્યાખ્યાન. આહારસામગ્રી, વસ્ત્ર, પરિગ્રહ વગેરે બાહ્ય પદાર્થોનો ત્યાગ કરવો તે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે. રાગ, દ્વેષ, કષાય વગેરે અશુભ માનસિક વૃત્તિઓનો પરિત્યાગ ભાવ પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાનના મૂળગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન એવા બે ભેદ પણ કરવામાં આવે છે. નૈતિક જીવનના વિકાસ માટે મુખ્ય વ્રતોને ગ્રહણ કરવા તે મૂળગુણપ્રત્યાખ્યાન છે, અને સહાયકવ્રતોને ગ્રહણ કરવા તે ઉત્તરગુણપ્રત્યાખ્યાન કહેવાય છે. આ બંને પ્રત્યાખ્યાન સમગ્ર રૂપે અને આંશિક - રૂપે – એમ બંને રીતે ગ્રહણ કરી શકાય છે. તે રીતે તેના ચાર પ્રકાર થાય છે : ૧. સર્વમૂળગુણ-પ્રત્યાખ્યાન : શ્રમણના પાંચ મહાવ્રતોનું ગ્રહણ ૨. દેશ મૂળગુણ-પ્રત્યાખ્યાન : ગૃહસ્થ જીવનના પાંચ અણુવ્રતોનું ગ્રહણ ૩. સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન : ઉપવાસ વગેરેનું ગ્રહણ-જે શ્રમણ અને ગૃહસ્થ બંને કરી શકે છે. ૪. મૂળ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન : ગૃહસ્થોનાં ગુણવ્રતો અને શિક્ષાવ્રતોની પ્રતિજ્ઞા પ્રત્યાખ્યાનના અન્ય પ્રકારો પણ આપવામાં આવ્યા છે. વસ્તુતઃ પ્રત્યાખ્યાન અમર્યાદિત જીવનને મર્યાદિત કે અનુશાસિત બનાવે છે. પ્રત્યાખ્યાનથી જીવન સંયમિત બને છે. સંયમથી આસ્રવનિરોધ અને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy