SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ ૧૫ બેવઈ મોકલી કરી રહંઈ ૭. નાભિ ઉપરિ ગૂડા હેકિંઈ ચાલ પદ કરી રહઈ ૮. ડાંસમાસાદિકને ભયે વર્જિ કરી ડીલ ઢાકી કાઉસગ્ગ કરઈ ૯, ગાડાની ઊધિ જિમ પાય મેલી આગલિ બે પગ વિસ્તારઈ. અથ બેવઈ અંગૂઠા મેલી પાછલિ બે પગ વિસ્તારઈ ૧૦. સંયતી મહાસતીની પરઈ ખવા ઊપરિ વસ્ત્ર ઉઢઈ જિણિ કારણિ જિમણા ખવા ઊઘાડા વિણ સૂઝઈ નહી ૧૧. ઘોડાના ચઉકડાની પરિઈ ઉધે આગલિ રાખી કાઉસગ કરઈ ૧૨, વાયસ કાગની પરિંઈ કાઉસગ્નિ આંખિનઉ ડોલઉ વલી વલી ફેરવઈ ૧૩. કઠિની પરિઇ પહિરણનું પકઢઉં કરી બિહું પગ વિચાલઈ રાખઈં ૧૪. ભૂતલાળા મનુષ્યની પરિઇ મસ્તક વલી વલી કંપાવઇ ૧૫. મૂકની પરિઇ કાઉન્ગિ ફૂ કરશું ૧૬. કાઉસગ્નિ લોગસ્સજઝોયગુણત મદિરાના ભાંડની પરિંઇ બડબડાટ કરઇ ૧૭. વાનરની પરઇ હોઠ હલાવઈ ૧૮. નવકારસંખ્યા ભણી કાઉગ્નિ આંગુલી હલાવઈ ૧૯, એ ઉગણીસ દોષ માહિ આઠમનું દોષ શ્રાવકનઈ ન લાગઈય આઠમનું નવમઉ ઇગ્યારમણલે એ ત્રિણિ દોષ મહા સતીનઈ ન લાગઈ. શ્રાવિકાનઈં એ ત્રિણિ દોષ વલી છઠલું બધૂનઉ દોષ ન - લાગઈ. યથોચિત ઉપમાનો અને દષ્ટાન્તો દ્વારા મૈસુંદરગણિએ કાયોત્સર્ગના દોષાની સ્પષ્ટ સમજણ આપી છે. અંતમાં તેમણે કાયોત્સર્ગનું ફળવિધાન પણ કર્યું સામાન્ય રીતે પ્રતિક્રમણ વ્રતોનાં છિદ્રોને રોકે છે, વ્રતોનાં છિદ્ર રોકાઈ જવાથી જીવ આસ્રવરહિત થાય છે, આમ્રવના નિરોધથી ચારિત્ર નિર્મળ બને છે. ચારિત્ર નિર્મળ થવાથી અષ્ટ પ્રવચનમાતામાં ઉપયોગી-સમિતિ-ગુપ્તિના પાલનમાં જાગૃત બને છે, તેનાથી સંયમમાં તત્પર બને છે અને મન, વચન, કાયા દ્વારા અસદુ માર્ગે જતા અટકી જાય છે, તે સમાધિભાવયુક્ત થઈને વિહાર કરે છે. - ઉપરોક્ત ક્રિયાઓથી માનસિક અને વાચિક શુદ્ધિ થાય છે. તેના પછી કાયિક શુદ્ધિ કરવા આવશ્યક છે. જ્યારે કાયા પ્રત્યે આત્મીયતા કે મમત્વનો ભાવ ન રહે, ત્યારે જ તે ધર્મ માટેનો આધાર અને નિમિત્ત બની શકે છે. કાયોત્સર્ગનો મુખ્ય હેતુ-શરીર પ્રત્યેના મમત્વભાવનો નાશ કરવાનો જ છે - શરીર પ્રત્યે મમત્વ ન હોવું - તેને જ કાયોત્સર્ગ કહે છે. આ કાયોત્સર્ગ ધર્મસાધક હોવાથી કાયિક શુદ્ધિરૂપ છે. તેનાથી અતીત, અનાગત અને વર્તમાનકાલિક કર્મોની વિશુદ્ધિ થાય છે. કાયોત્સર્ગ સમ્યફ પ્રકારે કરવા માટે કાયોત્સર્ગ વિશેના ઉપરોક્ત ઘોટક, લતા, સ્તંભકુંડળ વગેરે ૧૯ દોષોમાંથી મુક્ત થવું જોઈએ. આચાર્ય ભદ્રબાહુએ કાયોત્સર્ગના પાંચ લાભ બતાવ્યા છે. દેહમંડળશુદ્ધિ, મતિમંડળશુદ્ધિ, સુખદુઃખતિતિક્ષા, અનુપ્રેક્ષા અને ભાવનાઓનો સ્થિરતાપૂર્વક Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy