SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ કાયોત્સર્ગ કરે છે. તેમાં શ્વાસોચ્છવાસ વગેરેના સૂક્ષ્મરૂપે અંગોના થતા હલન-ચલન, દૃષ્ટિનું સંચાલન વગેરે શરીર સંબંધી આગાર તથા અન્ય બાહ્ય ઉપદ્રવરૂપ આગારોથી કાયોત્સર્ગ વિરાધિત ન થાય તે માટે પણ શિષ્ય પ્રાર્થના કરે છે. બાલાવબોધકારે કાયોત્સર્ગના પદ, સંપદા અને તેના ૧૯ દોષોની વિગતપૂર્ણ ચર્ચા કરી છે. શ્રી મેસુંદરગણિએ પ્રતિક્રમણની જેમ કાર્યોત્સર્ગના પ્રકાર, દોષ, વિધિ, લાભ વગેરેનું સૂક્ષ્મ દષ્ટિએ વિગતપૂર્ણ આલેખન કર્યું છે. તે કાયોત્સર્ગના ગુણોની ચર્ચા કરતા જણાવે છે કે કાયોત્સર્ગથી દેહ અને બુદ્ધિની જડતાનો નાશ થાય છે અને તેની શુદ્ધિ થાય છે, સુખ – દુઃખ સહન કરવાની ક્ષમતા આવે છે, અનુપ્રેક્ષા અર્થાત્ અનિત્યસ્વાદિનું ચિંતન થાય છે તથા એકાગ્રતાપૂર્વક શુભ ધ્યાનનો અભ્યાસ થાય છે. શુભ ધ્યાન વિશે આચાર્યશ્રી તેની વિસ્તારથી ચર્ચા કરે છે. કાયોત્સર્ગ મોક્ષપથપ્રદાતા છે. એવું સમજીને ધીર શ્રમણ દિવસાદિ સંબંધી અતિચારોનું પરિજ્ઞાન કરવા માટે કાયોત્સર્ગમાં સ્થિત થાય છે. બાલાવબોધકારે આ અતિચારોનો પણ વિસ્તારથી પરિચય આપ્યો છે. તેની સાથે કાયોત્સર્ગથી વિધિનો પણ સંકેત આપ્યો છે. સાધુઓએ સૂર્યાસ્ત થતા પહેલા પ્રસ્ત્રવણોચ્ચારકાલ-સંબંધી ભૂમિને સારી રીતે જોઈ લઈને, પોત-પોતાના સ્થાન ઉપર પહોંચી જઈને કાયોત્સર્ગમાં સ્થિત થવું જોઈએ. દૈવસિક, રાઝિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણોમાં કાયોત્સર્ગ નિશ્ચિત હોય છે. ગમનાદિવિષયક અન્ય કાયોત્સર્ગ અનિયત હોય છે. નિયમ કાયોત્સર્ગના ઉચ્છવાસોની સંખ્યા નક્કી હોય છે, જેમ કે – દેવસિકમાં સો ઉચ્છવાસ, રાત્રિકમાં પચાસ, પાક્ષિકમાં ત્રણસો, ચાતુર્માસિકમાં પાંચસો અને સાંવસ્તરિકમાં એક હજાર આઠ. તેવી જ રીતે પ્રત્યેક પ્રકારના કાયોત્સર્ગને માટે લોગસ્સજ્જોયગરે...' ના પાઠ પણ નિયત હોય છે. દેવસિક કાયોત્સર્ગમાં માટે લોગસુજ્જોયગરે...” ના પાઠ પણ નિયત હોય છે. દૈવસિક કાયોત્સર્ગમાં ચાર, રાત્રિકમાં બે, પાક્ષિકમાં બાર, ચાતુર્માસિકમાં વીસ અને સાંવત્સરિકમાં ચાલીસ, અનિયતકાયોત્સર્ગને માટે પણ કેટલાક નિશ્ચિત નિયમો છે. - કાયોત્સર્ગની વિધિનું વિધાન કરતા બાલાવબોધકાર જણાવે છે કે ગુરુની સમીપમાં જ કાયોત્સર્ગનો પ્રારંભ કરવો જોઈએ, તથા ગુરુની સમીપમાં જ સમાપ્ત કરવો જોઈએ. કાયોત્સર્ગના દોષ બાલાવબોધકારે આ પ્રમાણે બતાવ્યા છે.. હિવ કાસગના ૧૯ દોષ કહીંઈ ઘોડાની પરિએકણિ પગિ સયરનઉ ભાર દેઈ, બીજઉં પગ વાંકી રાખઈ-પાહિલઉં દોષ ૧. વાયની હલાવી જિમ વેલિ હાલઈ તિમ વલી વલી સયર ડોલાવઈ ર. થાંભાનઇ ભીતિ ન આધારિ કાઉસગ્ગ કરઈ ૩. કપિ લઇ માલિ માથઉં લગાડી રહઈ ૪. શબારી લીલણી જિમ અવાચ્યા દસિ હાથ દઈ રહઈ. પ. બધૂ જિમ માથી નીચલું કરી રહઈ ૬. અવ્રીલિ જિમ પગ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy