SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ ૧૩ છે. તે કાયોત્સર્ગ ધર્મસાધક હોવાથી તે કાયિક શુદ્ધિરૂપ છે. તેની અતીત અનાગત અને વર્તમાન કાલની પ્રાયશ્ચિત્તવિશુદ્ધિ વગેરે થાય છે. કાયોત્સર્ગથી અતીત અનાગત અને વર્તમાનમાં લાગેલા અતિચારોની શુદ્ધિ થાય છે, અને હૃદય વિશુદ્ધ બને છે. હૃદય વિશુદ્ધ થવાથી આત્મા કર્મભારથી હળવો થઈ પ્રશસ્તધ્યાની બને છે અને સમાધિભાવમાં વિચરણ કરે છે. કાર્યોત્સર્ગનો મુખ્ય ઉદ્દેશ શરીર પ્રત્યેના મમત્વમાંથી, દેહાધ્યાનમાંથી મુક્તિ મેળવવાનો છે. જૈન સાધનામાં કાર્યોત્સર્ગનું ઘણું મહત્વ છે. પ્રત્યેક અનુષ્ઠાન પહેલા કાર્યોત્સર્ગની પરંપરા છે. કાયોત્સર્ગમાં બે પદ છે : કાય અને ઉત્સર્ગ, આચાર્ય ભદ્રબાહુએ આવશ્યકનિર્યુક્તિમાં “કાય' ના એકર્થક શબ્દ તરીકે કાય, શરીર, દેહ, બોન્ટિ ચય, ઉપનય, સંઘાત, ઉડ્ડય, સમુછુયું, ક્લેવર, મિસ્યા, તન, પ્રાણુ અને ઉત્સર્ગના એકાર્યવાચી શબ્દો આ પ્રમાણે આપ્યા છે. ઉત્સર્ગ, વ્યુત્સર્જન, ઉજઝના, અવકિરણ, છર્દન, વિવેક, વર્જન, ત્યજન, ઉન્મોચના, પરિશાતા, શાતના. કાયોત્સર્ગના મુખ્ય બે પ્રકાર છે : ૧. દ્રવ્ય અર્થાત્ ચેષ્ટાકાયોત્સર્ગ ૨. ભાવ અર્થાત્ અભિભવ કાયોત્સર્ગ પ્રતિદિન જે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે તે ચેષ્ટા કાયોત્સર્ગ છે. દ્રવ્ય કાયોત્સર્ગ તે ચેષ્ટાનિરોધ (શરીરની ક્રિયાઓના નિરોધ) કાયોત્સર્ગ છે. તેમાં એક નિશ્ચિત સમય માટે શરીરની સમગ્ર ક્રિયાઓનો નિરોધ કરવામાં આવે છે. તે સમયે શારીરિક રીતે ઉદ્ભવતાં દુઃખ કે મુશ્કેલીને સમભાવપૂર્વક સહન કરવામાં આવે છે. ધ્યાનને ભાવ કાયોત્સર્ગ કહે છે. ચિત્તની એકાગ્રતા તે જ ધ્યાન છે. ધ્યાનના ચાર પ્રકાર છે : આર્ષ, રૌદ્ર, ધર્મ અને શુક્લ. તેમાંથી પ્રથમ બે સંસાર વૃદ્ધિ માટે છે અને અંતિમ બે મોક્ષના હેતુરૂપ છે. અહીં અંતિમ બે પ્રકારનું ધ્યાન સૂચિત છે. - કાયોત્સર્ગ ત્રણ મુદ્રાઓમાં કરવામાં આવે છે : (૧) જિનમુદ્રામાં ઊભા રહીને, (૨) પદ્માસન કે સુશાનમાં બેસીને અને (૩) સૂતા સૂતા કાયોત્સર્ગની અવસ્થામાં શરીરને શિથિલ કરવાનો પ્રયાસ કરવો. શિષ્ય કાયોત્સર્ગને માટે પ્રતિજ્ઞાબદ્ધ થઈને દોષોની આલોચના કરે છે. અનંત દુર્ગુણો થી યુક્ત અને ચાર ગતિરૂપ અનંત સંસારમાં પરિભ્રમણના હેતુપ માયા આદિ ભાવશબ્દો અને જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારનાં કર્મોનો ક્ષય માટે કાયોત્સર્ગનું વિધાન છે. અરિહંત ભગવાનને નમસ્કાર કરીને શિષ્ય ધ્યાનની સમાપ્તિ સુધી શરીરને એક જ સ્થિતિમાં રાખીને, મૌન રહીને અને ચિત્તની એકાગ્રતા સાધીને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy