SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ચિંતન કરી તેની આલોચના કરવી તે રાત્રિક પ્રતિક્રમણ છે. ૩. પાક્ષિક : પક્ષાન્તમાં અમાવાસ્યા કે પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ પખવાડિયા દરમ્યાન થયેલાં પાપોના વિચાર કરી તેની આલોચના કરવી, તે પાક્ષિક પ્રતિક્રમણ છે. ૪. ચાતુર્માસિક : કાર્તિકી પૂર્ણિમા ફાલ્ગુની, પૂર્ણિમા અને આષાઢી પૂર્ણિમાના ચાર મહિના દરમિયાન આચરિત પાપકર્મો વિશે વિચાર કરીને તેની આલોચના કરવી ચાતુર્માસિક પ્રતિક્રમણ છે. મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ ૫. સાંવત્સરિક : પ્રત્યેક વર્ષ સંવત્સરીના મહાપર્વના દિવસે સમગ્ર વર્ષ દરમિયાન થયેલાં પાપકૃત્યો વિશે વિચાર કરીને તેની આલોચના કરવી તે સાંવત્સરિક પ્રતિક્રમણ છે. પ્રસ્તુત બાલાવબોધમાં શ્રી મેરુસુંદરગણિએ પ્રતિક્રમણના વિવિધ પ્રકારો સાથે, પ્રતિક્રમણરૂપ ક્રિયા, પ્રતિક્રમણના કર્તા, પ્રતિક્રમિત અશુભ કાર્યો વગેરે વિશે વિસ્તારથી ચર્ચા કરી છે. સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયક અતિચાર, પંચ મહાવ્રત, ગુણવ્રત, સમિતિ-ગુપ્તિ અને અન્ય વ્રતોના અતિચારનું શાસ્ત્રોક્ત વર્ણન કર્યું છે. ભક્ષ્ય-અભક્ષ્ય, પાન, સ્વાદિમ, ખાદિમ વિશે ઉચિત માર્ગદર્શન આપ્યું છે. ઘી, દૂધ, દહીં વગેરેની શુદ્ધિ અને દોષોનો પરિચય આપ્યો છે. તે ઉપરાંત પ્રતિક્રમણ સાથે સંબંધિત સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષયોની વિગતપૂર્ણ ચર્ચા કરી છે. અન્ય ધર્મ-પરંપરાઓમાં પણ પ્રતિક્રમણ, પાપનું પ્રાયશ્ચિત કે ક્ષમાયાચનાનો ભાવ અભિવ્યક્ત કરતાં વિધિ-વિધાનો જોવા મળે છે. બૌદ્ધ ધર્મમાં તેનું ઘણું મહત્વ છે. તેને પ્રતિકર્મ, પ્રવારણા કે પાપદેશની કહેવામાં આવે છે. તેનું વૈદિક પરંપરામાં ત્રિકાલ સંધ્યાની ઉપાસનામાં થયેલાં પાપકૃત્યો માટેની ક્ષમાયાચનાનો અને તેવાં કર્મો નહિ કરવાનો સંકલ્પ સમાહિત છે. પારસી ધર્મમાં પણ પાપ-આલોચનની પ્રણાલિકા સ્વીકારવામાં આવી છે. પ. કાયોત્સર્ગ : આપ્યું છે. શ્રી મેરુસુંદરગણિએ કાર્યોત્સર્ગનું વર્ણન સામયિકની સાથે જ વિસ્તારથી ‘કાયોત્સર્ગ’ નો શાબ્દિક અર્થ છે કાયાનો ઉત્સર્ગ અર્થાત્ કાયાનો ત્યાગ. પણ શરી૨ વગર જીવન સંભવિત નથી. તેથી અહીં શરીર પ્રત્યેની મમતા આસક્તિનો ત્યાગ સૂચવાયો છે. પ્રથમની ક્રિયાઓ વડે માનસિક અને વાચિક શુદ્ધિ થઈ, તેના પછી કાયિક શુદ્ધિ કરવી જરૂરી છે. કાયા ધર્મનો આધાર તથા નિમિત્ત ત્યારે બની શકે છે કે જ્યારે કાયામાં આત્મીયતા મમતા ન રહે, શ૨ી૨માં મમતારહિતપણું તે જ કાયોત્સર્ગ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy