SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત પડાવશ્યક બાલાવબોધ કરવું જોઈએ. પ્રતિક્રમણ કરવાથી વ્રતોમાં લાગેલા દોષોનું નિવારણ થાય છે. આગળ આવવાવાળા આસ્ત્રવરૂપી જલ આત્મારૂપી નૌકામાં પ્રવેશ કરવા પામતા નથી. મહાવીર સ્વામીએ પ્રતિક્રમણનો લાભ આ રીતે દર્શાવ્યો છે. પડિક્કમeણે વયચ્છિદ્દાદઈ પિહેઈ, પિહિયવચ્છિદ પણ જીવે નિરુદ્ધાસવે અસબલચરિત્ત, અસુ પવયણમાયાસુ ઉવઉત્તે અપુહરે સુપ્પણિહિએ વિહરણ | પ્રતિક્રમણ વ્રતોનાં છિદ્રને રોકે છે. વ્રતોનાં છિદ્રો રોકાઈ જવાથી જીવ આસ્રરવરહિત થાય છે. આસ્રવ રોકાઈ જવાથી ચારિત્ર નિર્મળ થાય છે. અને ચારિત્ર નિર્મળ હોવાથી આઠ પ્રવચનમાં ઉપયોગવાન (સમિતિ-ગુપ્તિની આરાધનામાં સાવધાન) બને છે, તેથી સંયમમાં તત્પરતા વધે છે અને મન વચન કાયાના યોગ અસત્ય માર્ગથી રોકાઈ જાય છે. જેથી તે સમાધિભાવવાળો થઈ વિચરે છે. જૈન પરંપરા અનુસાર નીચેનાં સ્થાનોમાં પ્રતિક્રમણની આવશ્યકતા રહે છે : ૧. ૨૫ મિથ્યાત્વ, ૧૪ જ્ઞાનાતિચાર અને ૧૮ પાપસ્થાનકોમાં સર્વ સાધકોએ પ્રતિક્રમણ કરવું જોઈએ. ૨. પાંચ મહાવ્રત, મન, વાણી અને શરીરનો અસંયમ તથા ગમન; ભાષણ, યાચના, ગ્રહણ-નિક્ષેપ અર્થાત્ મલ-મૂત્ર વિસર્જન વગેરે સંબંધિત દોષોનું પ્રતિક્રમણ શ્રમણ સાધકોએ કરવું જોઈએ. ૩. પાંચ અણુવતો, ૩. ગુણવ્રતો, ૪ શિક્ષાવ્રતો સંબંધિત અતિચારોનું પ્રતિક્રમણ વ્રતી સાધકોએ કરવું જોઈએ. ૪. સંલેખના વ્રતનું ગ્રહણ કરનારાઓએ સંલેખનાના પાંચ અતિચારોનું પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિક્રમણના પ્રકાર : સાધકોના આધારે પ્રતિક્રમણના બે પ્રકાર છે : શ્રમણ પ્રતિક્રમણ અને શ્રાવક પ્રતિક્રમણ. સમયના આધારે તેના પાંચ પ્રકાર આ પ્રમાણે દર્શાવ્યા છે : દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક. ૧. દેવસિકઃ પ્રતિદિન સાયંકાળના સમયે સમગ્ર દિવસ દરમ્યાન થયેલાં પાપોનું ચિંતન કરીને તેની આલોચના કરવી તે દૈવસિક પ્રતિક્રમણ છે. ૨. રાત્રિક : પ્રતિદિન પ્રાતઃકાળના સમયે સંપૂર્ણ રાત્રિ દરમ્યાન થયેલાં પાપોનું Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy