SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ પ્રાપ્તિ થાય છે. - વંદનની આવશ્યકતા અને તેના વિધિ વિધાનોનું શ્રી મેરુસુંદરગણિએ વિસ્તારથી આલેખન કર્યું છે. શિષ્યએ ગુરુની વંદના કરવાની અનુમતિ કેવી રીતે લેવી જોઈએ, તેનું આરંભમાં વર્ણન છે. ૯૨ સ્થાનક સાચવીને શિષ્ય વંદના કરે છે. વન્દનાકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજા કર્મ અને વિનયકર્મ-આ પાંચ સામાન્ય રીતે વંદનાના પર્યાય છે. વંદનાના નવ દ્વારોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે : (૧) વંદના કોને કરવી જોઈએ, (૨) કોના દ્વારા કરવી જોઈએ, (૩) ક્યારે કરવી જોઈએ, (૪) કેટલી વાર કરવી જોઈએ, (૫) વંદના કરતી વખતે કેટલો સમય નમવું જોઈએ, (૬) કેટલી વાર મસ્તક નમાવવું જોઈએ, (૭) કેટલા આવશ્યકોથી શુદ્ધ થવું જોઈએ, (૮) કેટલા દોષોથી મુક્ત થવું જોઈએ, (૯) વંદના શા માટે કરવી જોઈએ - આ નવ દ્વારોનો અલગ અલગ રીતે અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રાણાતિપાત આદિ સાવદ્ય વ્યાપારોથી રહિત બનીને શિષ્ય વંદના કરવાની ગુરુ પાસે અનુમતિ માગે છે. શિષ્યની ઇચ્છાનું ગુરુ અનુમોદન કરે છે અને પોતાના ‘મિત્તાવગ્રહ” માં પ્રવેશની આજ્ઞા આપે છે. ગુરુ-શિષ્યના સંવાદના રૂપમાં વંદનની વિધિ, દુષ્કૃત્યોનું પ્રાયશ્ચિત, તેત્રીસ આશાતના, વંદના માટેની આઠ અવસ્થા, બાર આવર્ત, પચીસ પ્રકારના આવશ્યક વગેરેનું વિગતપૂર્ણ આલેખન બાલાવબોધમાં મળે છે. બત્રીસ પ્રકારના દોષોથી મુક્ત થઈને શિષ્ય વંદના માટેની યોગ્ય પ્રાપ્ત કરે છે. આવશ્યકક્રિયાસંબંધી, દિવસ સંબંધી અને અન્ય અતિચારોના વિષયમાં શિષ્ય ગુરુની ક્ષમાયાચના કરે છે. મૂળ સૂત્ર ‘ચ્છામિ મસળો' - ની સૂત્રસ્પર્શી વ્યાખ્યા આપીને બાલાવબોધકારે (૧) શિષ્યની વંદના કરવાની ઇચ્છા, (૨) ગુરુની અનુજ્ઞા, (૩) અવ્યાબાધ, (૪) યાત્રી, (૫) યાચના અને (૬) અપરાધક્ષમણા-આ છ સ્થાનોની વિસ્તૃત ચર્ચા કરી છે. ૪. પ્રતિક્રમણ : વંદના પછી પ્રતિક્રમણનું-પ્રાયશ્ચિત કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. મન, વચન અને કાયાથી કરેલાં, કરાવેલાં કે અનુમોદિત અશુભ આચરણની નિવૃત્તિ માટે, કરેલાં પાપાચરણની આલોચના કરવી તે પ્રતિક્રમણ છે. અશુભ કર્મોથી નિવૃત્તિ થઈને મોક્ષફલદાયક શુભ કર્મોમાં વિશુદ્ધ ભાવથી પ્રવૃત્ત થવું તે પ્રતિક્રમણનું મુખ્ય પ્રયોજન છે. પ્રતિક્રમણ માટે પતિચરણા, પરિહરમા, વારણા, નિવૃત્તિ, નિંદા, ગહ, શુદ્ધિ વગેરે પર્યાયો પણ પ્રયોજાય છે. - દિવસમાં અથવા રાત્રીએ કોઈ પણ પ્રકારનો જે અતિચાર લાગ્યો હોય તે પ્રગટ કરીને તેનો પશ્ચાત્તાપ કરીને તથા તેની નિંદા કરીને ભવ્ય જીવોએ પ્રતિક્રમણ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy