SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત પડાવશ્યક બાલાવબોધ ઉષ્નન થાય છે, તેવી રીતે ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે અને અંતિમ ફળ અથવા રસ – તે મોક્ષ છે. અર્થાત્ તેમાં મૂળનું સૌથી વધુ મહત્વ છે. બૌદ્ધદર્શનના “ધમ્મપદ નામના ગ્રંથમાં અને મનુસ્મૃતિમાં સમાન દૃષ્ટિએ જણાવવામાં આવ્યું છે કે મહાત્માઓ અને વૃદ્ધોની સેવા કરનાર તથા અભિવાદનશીલ વ્યક્તિની ચાર વસ્તુઓ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે : આયુ, સૌંદર્ય સુખ અને બળ (ધમ્મ. ૧૦૮ મનુ. ૨/૧૨૧). ભગવદ્ગીતામાં અંતમાં શ્રીકૃષ્ણ. “માં નમસ્કુરુ' (૧૮) ૬૫) કહીને વંદનનો નિર્દેશ કર્યો છે. નવધા ભક્તિમાં પણ વંદનભક્તિનો સમાવેશ કરેલો છે. વંદન દ્વારા મન-વચન-કાયાથી પૂજય વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધા, આદર અને વિન્રમતા પ્રગટ કરવામાં આવે છે. તીર્થકર દેવની ઉપાસના પછી પથ-પ્રદર્શક ગુરૂને વંદન કરવાં આવશ્યક છે. વંદન સુયોગ્ય વ્યક્તિને જ કરવાં જોઈએ. આચાર્ય ભદ્રબાહુના મતાનુસાર ગુણહીન, અવંદ્ય વ્યક્તિને વંદન કરવાથી કર્મોની નિર્જરા થતી નથી, પણ અસંયમ અને દુરાચારને અનુમોદન આપવાથી કર્મોનો બંધ થાય છે. આ પ્રકારનું વંદન વ્યર્થ કાયાકલેશ છે. શ્રમણોએ અસંયતી, માતા, પિતા, ગુરુ, સેનાપતિ, પ્રશાસક, રાજા, દેવ, દેવી વગેરેને વંદન ન કરવા જોઈએ, જે સંયતી છે, મેઘાવિ છે, સુસમાહિત છે, પંચસમિતિ અને ત્રિગુપ્તિથી યુક્ત છે, તે શ્રમણને જ વંદના કરવી જોઈએ. સંયમ-ભ્રષ્ટ સંન્યાસીઓને વંદન કરવાથી ન કીર્તિ મળે છે, ન નિર્જરા થાય છે, તે કેવળ કર્મબંધનું જ કારણ બને છે. વંદના કરનાર પોતે પણ પંચમહાવ્રતમાં આલસ્યરહિત, સંયમી અને નિર્જરાર્થી હોવો જોઈએ. જૈન વિચારધારા અનુસાર ચારિત્ર અને સગુણથી સંપન્ન વ્યક્તિઓ જ વંદનીય છે. આવશ્યકનિર્યુક્તિમાં વંદનના ૩૨ દોષોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. વંદનના સમયે સ્વાર્થભાવ, આકાંક્ષા, ભય અને અનાદરનો ભાવ હોવો, યોગ્ય સન્માનસૂચક વચનોનું સમ્યક્ રીતે ઉચ્ચારણ ન કરવું તથા શારીરિક રૂપે સન્માનવિધિનું યોગ્ય પાલન ન કરવું તે વંદનના દોષો છે. અન્યથા પોતાનાથી શ્રેષ્ઠ વ્યક્તિઓને વિશુદ્ધ ભાવે, સમ્યફ રીતે વંદન કરવું તે સાધકનું આવશ્યક કર્તવ્ય છે. વંદનથી થતા લાભનું આ રીતે વર્ણન કરવામાં આવ્યું વંદનએણં જીવે નીયાગોયે ખવેઈ ઉચ્ચાગોમં કર્મ નિબન્ધઈ, સોહઞ ચ ણં અપ્પડિહ્યું આણાફલં નિવૉઇ, દાહિરભાવે ચે હં જણયઈ” અર્થાત શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યું - હે પ્રભો ? વંદના કરવાથી જીવને શું ફલ થાય છે? ભગવાને ઉત્તર આપ્યો – ગૌતમ? વંદના કરવાથી નીચ ગોત્રનો ક્ષય થાય છે, અને ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે, અને ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે, સૌભાગ્ય અને અપ્રતિહત આજ્ઞા ફલને પ્રાપ્ત કરે છે તથા દાક્ષિણ્ય (અનુકૂલતા)ની Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy