SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ જેવી રીતે સૂર્ય સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, તેવી રીતે તીર્થકર સ્વામી સમગ્ર લોકને પ્રકાશિત કરે છે. જેવી રીતે અંધ પુરુષને નેત્રદાન કરવામાં આવે છે, તેવી રીતે તીર્થકર સ્વામી અજ્ઞાનથી અંધ જીવોને જ્ઞાનરૂપી અંતરંગનેત્ર આપે છે. જેવી રીતે માર્ગ ભૂલેલાને સાચો માર્ગ દેખાડે છે તેવી રીતે. તીર્થંકર સ્વામી ખોટે માર્ગે જનાર જીવોને જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપે છે. અહીં યથોચિત સાદૃશ્યના આયોજનથી વિષયને સુગ્રાહ્ય બનાવવાના બાલાવબોધકારના કૌશલ્યનો પરિચય પણ મળે છે. તીર્થંકરસ્વામીના પ્રભાવવર્ણનની સાથે શુક્રસ્તવ અને તેમાં ગોપનીય મંત્રોનું રહસ્ય ટ કર્યું છે. ત્યાર બાદ ચોવીસ તીર્થંકરોના નામનો અર્થ, જન્મકથા અને જીવનનું સંક્ષેપમાં આલેખન કર્યું છે. તે પહેલા અરિહંતના શ્રદ્ધા, મેઘા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા-એ પાંચ ગુણોનું ચિંતવન કરીને, કાયોત્સર્ગ કરવાનું સૂચન પણ કર્યું છે. ત્યારબાદ સુંદર ઉપમાનો દ્વારા વીતરાગનું માહાસ્ય દર્શાવીને ચોવીસ તીર્થકરોના નામની વ્યાખ્યા આપી છે, જેમકે : પહિલઈ સઉગઈ માતાઈ વૃષભ દીઠઉં. અથવા ઉરપ્રદેશિ વૃષભનઉ આકાર હૂંતઉં. તેહ ભણી શ્રી આનાદિધનઈ વૃષભનામ ૧, સારિ પાસે ખેલતાં જિતશત્રુ રાજાઈ ગર્ભનઈં પ્રમાણિ વિજયારાણી જીતી ન સકા તે ભણી અજિતનામ ૨. જિણિ ગર્ભ આથઈ પૃથ્વી માહિ અધિક ધાનવ સંભવ હૂઉ તેહ ભણી સંભવ ૩. ગર્ભિ આવ્યઈ ઇંદ્રિસ્વામી વલી વલી અભિનંદિઉ પ્રસંસિલે, તે ભણી અભિનંદન ૪. ગર્ભિ આવ્યઇ માતાનઇં શોભનમતિ હુઈ તે ભણી સુમતિ નામ. ૫. ગર્ભિ આવ્યઈ માતાનઈં પદ્મ ઊપરિ સૂવાની ડોહલઉ ઊપનઉ દેવતાએ પૂરિઉં. તે ભણી પદ્મપ્રભ. આ પ્રમાણે અનુક્રમે તીર્થકરોના નામનો અર્થ આપ્યો છે. ત્યારબાદ સૂત્રની બે અંતિમ ગાથામાં નિરૂપિત સ્તુતિ અને પ્રાર્થનાનું સુંદર અર્થઘટન કર્યું છે. જેવી રીતે ‘કિરિય” અર્થાત્ વિભિન્ન નામોથી કીર્તિપ્રાપ્ત, ‘વંદિત' અર્થાત્ મન-વચનકાયાથી વંદનીય, “મહિય' અર્થાત્ જ્ઞાનાતિશય આદિ ગુણોને કારણે સર્વ પ્રાણીઓથી સન્માનિત તીર્થકરોની સાથે સિદ્ધ અને અરિહંતાદિના ગુણો, સ્થાન વગેરેનું વર્ણન પણ કર્યું છે. ૩. વંદન . * વંદનનું મૂળ પ્રયોજન મનુષ્યમાં વિનય, વિવેક અને નમ્રતાના ગુણને જાગ્રત કરવાનું છે. વિનયને જિનશાસનમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. સંપૂર્ણ સંઘવ્યવસ્થા વિનય પર આધારિત છે. દશવૈકાલિક સૂત્ર અનુસાર જેવી રીતે વૃક્ષના મૂળમાંથી થડ, થડમાંથી શાખા પ્રશાખાઓ અને ક્રમથી પત્ર, પુષ્પ, ફળ અને રસ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy