SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ષડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ ચતુન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનું વિસ્તૃત વર્ણન છે. ‘મિચ્છામિ દુક્કડં’ ના વિભિન્ન અર્થોના પ્રતિપાદનની સાથે દેવતાં, તિર્યંચ, મનુષ્ય આદિના ભેદ વિવિધ પ્રકારે આપ્યા છે, જેમકે અંતરદ્વીપ, કર્મભૂમિ, અકર્મભૂમિ વગેરેની દૃષ્ટિએ મનુષ્યોના પ્રકાર વર્ણવ્યા છે. મિથ્યાત્વાદિને કારણે આત્માની આચારરૂપ પ્રવૃત્તિ-અપ્રશસ્ત સત્તાનો ત્યાગ અહીં સૂચિત છે. સાધુલોકો સર્વવિરતિરૂપ સામયિકનું નિયમિત રીતે પાલન કરે છે. તેમાં પ્રમાદાદિને કારણે અતિચાર સંભવિત છે, તેથી સામયિકમાં અહીં કાર્યોત્સર્ગનું વર્ણન પણ સમાવિષ્ટ છે. સમતાભાવની પ્રાપ્તિ વગર રાગદ્વેષનો ક્ષય થઈ શકતો નથી. રાગદ્વેષના ક્ષય થયા વગર કેવળજ્ઞાન-કેવળદર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી, અને તેના વગર મુક્તિ સંભવિત નથી તેથી મોક્ષનું મૂળ કારણ સામયિક જ છે. તેથી તેને કેવળ સાંસારિક સુખ આપનાર પારસમણિ વગેરે કરતાં પણ ઉત્તમ કહ્યું છે. ૨. સ્તવનૢ : અર્થાત્ ચોવીસ તીર્થકરોની સ્તુતિ, જૈનસાધનામાં સ્તુતિનું સ્વરૂપ, ભક્તિમાર્ગની સ્તુતિવંદના, નામકરણ, મંત્રજાપ કે કીર્તન જોડે સામ્ય ધરાવે છે. સ્તુતિ અથવા ભક્તિના માધ્યમથી સાધક પોતાના અહંકારનો નાશ કરે છે અને સદ્ગુણો પ્રત્યેના અનુરાગની વૃદ્ધિ કરે છે. જૈન આચારદર્શન અનુસાર પ્રત્યેક સાધક નૈતિક એવં સાધનાત્મક જીવનમાં આદર્શ વ્યક્તિના રૂપમાં જૈન તીર્થંકરોની સ્તુતિ કરે છે. ચોવીસ તીર્થંકરોની સ્તુતિ એટલે કે ચતુર્વિંશતિ સ્તવથી દર્શનવિશુદ્ધિ થાય છે. ‘કીટભૂંગી ન્યાય' અનુસાર ચતુર્વિશતિ સ્તવનથી જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. સાધક તીર્થંકરોના ગુણકીર્તન દ્વારા પોતાનામાં રહેલા તે તે ગુણોને જાગૃત કરવા માટે પ્રયત્નશીલ બને છે અને જિનત્વની પ્રાપ્તિ કરે છે. સિદ્ધ કે અર્હત પુરૂષોના ઉચ્ચ આદર્શનું જીવંત ચિત્ર આ તીર્થંકરોના સ્તવન દ્વારા સાધનાના મનમાં સ્પષ્ટ રીતે અંકિત થાય છે. અને તે આદર્શને સિદ્ધ કરવાની પ્રેરણા પણ મળે છે. જૈન દૃષ્ટિએ સ્તુતિના મુખ્ય બે પ્રકાર છે દ્રવ્ય અને ભાવ. સાત્ત્વિક વસ્તુઓ દ્વારા તીર્થંકરની પ્રતિમાની પૂજા કરવી તે દ્રવ્યસ્તવ છે. અને ભગવાનના ગુણોનું સ્મરણ કરવું તે ભાવસ્તવ છે. શ્રી મેરુસુંદરગણિ ચતુર્વિશતિસ્તવનના સંદર્ભમાં ‘લોગસ્સ ઉજ્જોયગરે’ થી આરંભીને તીર્થંકરનું માહાત્મ્ય દર્શાવ્યું છે. લોક કહતાં ગણધર તેહ પ્રતિ સૂર્ય સમાન જિમ સૂર્ય જગ માહિ ઉધ્યોત કરŪ તિમ સ્વામી લોકનŪ ઉદ્યોત કરઈં.’ Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy