SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ નમસ્કારથી થાય છે. પડાવશ્યકકર્મના આરંભ માટે પંચ નમસ્કારરૂપ મંગલ કરવા અને ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરવી આવશ્યક છે. ગુરુની આજ્ઞા વંદન કરીને જ લઈ શકાય. ગુરુવંદના પછી નમસ્કારમંત્રના સંદર્ભમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ શબ્દોના અર્થ અને તેની વિશિષ્ટ ઉપલબ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે “નમો અરિહંતાણ' એમ કહીને બાલાવબોધકાર “અરિહંતનઇ” અર્થાત્ જીણઇ રાગ-દ્વેષ-રૂપા અરિવઈરી જીતા. તે અરિહંત સ્વેતવર્ણ ધ્યાÚછે – એ પ્રમાણે અરિહંત શબ્દનો અર્થ આપ્યો છે. સિદ્ધ'નો અર્થ સમજાવતાં શ્રી મેરુસુંદરગણિ કહે છે : નમો સિદ્ધાણં નમસ્કાર હઉ. કહિનઈ ? સિદ્ધનઈં, જે એકત્રીસ ગુણે કરી સહિત સિદ્ધ તે સિદ્ધનઉ, કGણ અર્થ ? લોકન અગ્નિ પચતાલીસ સલક્ષ યોજના પ્રમાણ જિસિલ સિઉ તીણી હુઇ. ઈસિંઈ આકારિ આઠ યોજન મૂલપિંડ, સ્ફટિક રત્નમઇં સ્વેતવર્ણી તેહ ઉપરિ એક જોયણ આકાશપ્રદેશ, તેહનઈં ઊપિલઈ ચકવીસમઈ ભાગિ ત્રિણિસઈ તેત્રીસ સગિહ ધનુષ પ્રમાણિ આકાશદેસિ ચરમ દેહ. ત્રિભાગ ન્યૂન અમૂર્ત જીવજયોતિ તિહાં પુછતા છઇં. આચાર્ય અર્થાત્ જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રાચાર, તપાચાર, વીર્યાચાર-એ પાંચ આચારના પાલણહાર અને સુવર્ણવર્ણવાળા હોય છે. દ્વાદશાંગઆચારાંગ, સૂત્રકૃતાંગ-વગેરે દ્વાદશાંગનું અધ્યયન-અધ્યાપન કરાવનાર ઉવજઝાય એટલે કે ઉપાધ્યાય છે. “નમો લોએ સવ્વ સાહૂણં' માં મેરુસુંદરગણિ “લોક’ શબ્દનો અર્થ પણ વિસ્તારથી સમજાવે છે અને પછી “સાધુ” શબ્દનો અર્થ કહે છે : પાંચ મહાવ્રત – પ્રાણાતિપાતાદિક પાલઇ, છઠઉ રાત્રીભોજન વજઈ પાંચે સુમિત્તે સમિતિ ત્રિહું ગુપ્ત ગુપ્ત, અઢાર સહસ્ત્ર શીલાંગધારક, શ્યામવર્ણા વિકલ્પી, જિનકલ્પી પ્રમુખ જે સાધુ તેહનઇ નમસ્કાર દઉં. નવકારમંત્રનું માહાભ્ય સમજાવવા માટે ત્રિદંડી પરિવ્રાજક, ચંડપિંગલ ચોર, હિંડક, યક્ષ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પંચાંગ પ્રણામ અને ચૈત્યવંદનાનો નિર્દેશ છે. બરિયાવહી વિમ' – ના સંદર્ભમાં જિનમુદ્રાનો પૂર્ણ પરિચય આપવામાં આવ્યો છે. જેમકે : પછઇં ચિહું આંગુલનઉ આતરઉ બિહું પગનઈં આગલિ કરતલ ત્રિણિ આંગુલ ઝાઝેરાં આંતરઉ પાછલિ કરતઉ. ઈસી જિનમુદ્રા પણ સાચવત અનઈ આંગુલિ બિહું હાથની એકેક માહિ કરી પાઠાકોસનઈ આકારિ બેવઈ હથિ મુખ આગલિ દીજઈ અનઈ બિહું હાથના કૂપર પેડ ઊપરિ આણીંઈ-ઈસી યોગમુદ્રા'. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy