SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ ઉત્પન્ન થાય છે. મધ્યસ્થભાવથી પુનઃપ્રત્યાખ્યાનની વિશુદ્ધિ થાય છે. તેનાથી શુદ્ધ ચારિત્રધર્મનો ઉદય થાય છે અને તેનાથી કર્મની નિર્જરા થાય છે. અને ક્રમશ: અપૂર્વકરણ થતા શ્રેણિક્રમથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અન્તમાં શાશ્વત સુખરુપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિનીત એવં અવ્યાક્ષિપ્તરૂપથી શિષ્ય ગુરુની સમીપમાં આવે છે ત્યારે ગુરુ યોગ્ય વિધિપૂર્વક શિષ્યને પ્રત્યાખ્યાન કરાવે છે. શિષ્ય અને ગુરુ બંનેની યોગ્યતાનો અને કથનવિધિનો પણ અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. ૭. શૈલી બાલાવબોધકારે ગહન વિષયને સૂત્રાત્મક શૈલીમાં, સંવાદપદ્ધતિ, દૃષ્ટાન્તો અને ઉપમાઓના સમુચિત વિનિયોગ અને ટૂંકાં વાક્યો દ્વારા લાઘવથી પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે. ગુરુ-શિષ્ય વચ્ચેના સંવાદ દ્વારા વિષયની માંગણી કરીને તેનો વિસ્તાર સાધે છે જેમકે : આદેસ દિઉ ભગવન! જિમ હું ઈરિયાવહી પડીકમઉં.” ગુરુ કહઈ પડિક્કમઈક'. શિષ્ય કહઈ “ઈન્થ” સંવાદશૈલીને કારણે વિષયનિરૂપણ સુગ્રાહ્ય અને સુ-બોધ બને છે. તે સાથે શૈલીની સૂત્રાત્મકતા પણ નોંધપાત્ર છે. જેમકે “નમો આયરિયાણ.” મંત્રને સમજાવતા શ્રી મેતુંગાચાર્ય કહે છે : “નમો આયરિયાણં=આચાર્યનઈ માહરઉ નમસ્કાર. તે આચાર્ય કેહવા? જ્ઞાનાચાર ૧. દર્શનાચાર ૨. ચારિત્રાચાર ૩. તપાચાર ૪. વીર્યાચાર ૫. પાંચ આચારના પાલણહાર, સુવર્ણવર્ણ આચાર્ય તેહનઈ નમસ્કાર.” અહીં અત્યંત લાઘવથી પણ સમગ્રદર્શી રીતે આચાર્યની પ્રતિજ્ઞા પ્રગટ કરી છે. બાલાવબોધકારે યોજેલાં ઉપમાઓ. ઉપમાનો- દષ્ટાન્તો પણ વિષયને સરળ રીતે રજૂ કરવામાં ઉપકારક બન્યાં છે. કેટલીક ઉપમાઓ મૂળ સૂત્ર અને ટીકાઓમાં રજૂ થયેલી છે તે સાથે અહીં પણ એટલી જ તાજગી અને સહજતાથી પ્રયોજાઈ છે. સમુચિત ઉપમાન દ્વારા તીર્થકર સ્વામીની વિશિષ્ટતાઓ બાલાવબોધકારે આ પ્રમાણે વર્ણવી છે : પુરુષ કહતાં સર્વ જીવ તેહ મહિ ગુણે કરી ઉત્તમ છઈ. પુરિસસીહાણ. પુરૂષ માંહિ સિંહ સમાન. પુરિસવર પુંડરીઆણે પુરુષ માહિ વરપ્રધાન પુંડરીક કમલ સમાનં જિમ કમલ કદમ માહિ ઊપજઈ. પાણીઈ કરીવા જઈ તિમ સ્વામી રાજ અનઈં ભોગ બેવઇ મૂકી દીક્ષા લેઈ અલગાર હઈ-પુરૂષ માહિ વરપ્રધાન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy