SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ કુન્દકુન્દ્રાચાર્યે નિયમસારમાં તેની રજૂઆત આ પ્રમાણે કરી છે : (૧) પ્રતિક્રમણ (૨) પ્રત્યાખ્યાન (૩) આલોચના (૪) કાર્યોત્સર્ગ (૫) સામયિક (૬) પરમ ભક્તિ આવશ્યક શબ્દનો અર્થ આવશ્યક શબ્દના અનેક અર્થો છે : - જે અવશ્ય કરવું જોઈએ તે આવશ્યક છે. – જે આધ્યાત્મિક સદ્ગુણોનો આધાર છે (આપાશ્રય) તે આવશ્યક છે (સંસ્કૃતના આપાશ્રય શબ્દનું પ્રાકૃત રૂપ આવસ્મય થાય છે.) – જે આત્માને દુર્ગુણોથી દૂર કરીને સદ્ગણોને અધીન-વશ્ય કરે છે તે આવશ્યક છે. - આત્માને જ્ઞાનાદિ ગુણોથી આવાસિત, અનુરજિત અથવા આચ્છાદિત કરે છે, તે આવશ્યક છે. (સંસ્કૃતના ‘આવાસક” શબ્દનું પ્રાકૃત રૂપ “આવસ્મય' બને છે. અનુયોગદ્વાર સૂત્ર અનુસાર પડાવશ્યક ગૃહસ્થ અને શ્રમણ બંને માટે આવશ્યક છે. તેમાં આવશ્યકતાના નીચે પ્રમાણે પર્યાયવાચી નામ આપ્યા છે : આવશ્યક અવશ્યકરણીય ધ્રુવનિગ્રહ (અનાદિ કર્મોનો નિગ્રહ કરનાર) વિશોધિ (આત્માની વિશુદ્ધિ કરનાર) ષટફ અધ્યયન વર્ગ ન્યાય આરાધના માર્ગ મોક્ષનો ઉપાય) પડાવશ્યકનું સાધનાત્મક જીવન માટેનું મહત્વ પંડિત સુખલાલજીએ આ પ્રમાણે સમજાવ્યું છે : જે સદ્ગણો હોવાને કારણે મનુષ્યનું જીવન અન્ય પ્રાણીઓના જીવનથી ઉચ્ચતર હોવાનું સમજી શકાય છે, અને અન્તમાં વિકાસની પરાકાષ્ઠા સુધી પહોંચી શકે છે તે સદ્ગણો આ પ્રમાણે છે. ૧. સમભાવ અર્થાત્ શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનો સમન્વય ૨. જીવનને વિશુદ્ધ બનાવવા માટે માર્ગદર્શક મહાત્મા પુરુષોને આદર્શ સ્વરુપે પસંદ કરીને તેમના તરફ સદા દષ્ટિ રાખવી. ૩. ગુણવાનોનું બહુમાન અને વિનય કરવો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy