SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ર મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ જૈન આગમોગમાં આ દૃષ્ટિએ જ જ્ઞાન અને કર્મના સમન્વયરૂપ ષડાવશ્યક ફર્મોનું વિધાન કરવામાં આવ્યું છે. આવશ્યક સૂત્રમાં પડાવશ્યક કર્મોનું નિરૂપણ છે. જૈન આગમ સાહિત્યમાં આવશ્યક સૂત્રનું મહત્વપૂર્ણ સ્થાન છે. આવશ્યકસૂત્ર પર આચાર્યશ્રી ભદ્રબાહુસૂરિએ નિર્યુક્તિની રચના કરી છે. આવશ્યક નિર્યુક્તિ વિશે પણ અનેક ટીકાઅખો લખાઈ છે. આચાર્ય જિનભદ્રની વિશેષાવશ્યક ભાષ્ય નામની વ્યાખ્યા અને માલધારી હેમચંદ્ર કૃત વ્યાખ્યા વિશેષ પ્રચલિત છે. આવશ્યકસૂત્ર પર લખાયેલો શ્રી તરુણપ્રભસૂરિનો બાલાવબોધ પ્રસિદ્ધ છે. મેરુસુંદરગણિએ એમના બાલાવબોધને દૃષ્ટિ સમક્ષ રાખીને પોતાના બાલાવબોધની રચના કરી છે, એવું તેમનું વિધાન છે. પ્રવર ખરતર-ગચ્છ શ્રીમદ્ જિનભદ્રસૂરયો ભૂવનું ? તત્વદેવિ જયતે જયંતિ શ્રીમદ્ જિનચંશ્રયો ગુરુવે // જડાવશ્યક સૂત્રાણાં તેષામાદેશ્યતામયા / બાલાવબોધ સંક્ષેપાકૂલિખતે પ્રકટાર્થવાન // શ્રી મેરુસુંદરગણિ : મેરુસુંદરગણિ વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ નથી પણ તેમનો સમય ૧૬મી શતાબ્દીનો પૂર્વાર્ધ માનવામાં આવે છે. મેરુસુંદરગણિ ખરતરગચ્છના પ્રસિદ્ધ આચાર્ય જિનચંદ્રસૂરિના શિષ્ય વાચક રત્નમૂર્તિગણિના શિષ્ય હતા. તેમનું વિહારક્ષેત્ર મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ હોવાની પ્રતીતિ તેમની કૃતિઓમાં આવતા ઉલ્લેખો દ્વારા થાય છે. તેમનું નામ બાલાવબોધની રચના માટે સુપ્રસિદ્ધ છે. અદ્યાપિ પર્યત તેમના સોળ બાલાવબોધ પ્રાપ્ત થયા છેઃ (૧) શત્રુજ્યસ્તવમ્ (ર.સં. ૧૫૧૮), (૨) શીલોપદેશમાલા (૨.સં. ૧૫૨૫), (૩) ખડાવશ્યકસૂર અથવા શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર (ર.સં. ૧પ૨૫), (૪) પુષ્પમાલા (લે.સ. ૧૫૨૮), (૫) પંચનિર્ગથી (લ. સં. ૧૯૧૨), (૬) યોગશાસ્ત્ર (લ.સં. ૧૯૨૬), (૭) ભક્તામર સ્તોત્ર, (૮) કપૂરપ્રકર (લ. સં. ૧૫૩૪), (૯) વૃત્તરત્નાકર, (૧૦) ભાવારિવારણ, (૧૧) કલદપ્રકરણ, (૧૨) વિદગ્ધમુખમંડન, (૧૩) ઉપદેશમાલા (૧૪) અજિતશાંતિ સ્તવન, (૧૫) ષષ્ટિશતકપ્રકરણ, (૧૬) વાગભટ્ટાલંકાર... પડાવશ્યક બાલાવબોધમાં જણાવ્યું છે તે પ્રમાણે સંવત ૧૫૭૫ વર્ષે, શ્રાવણ સુદ-૪, ખરતરગચ્છનાયક શ્રી જિનરાજસૂરિ પટ્ટાલંકાર શ્રી જિનભદ્રસૂરિ શ્રી જિનચંદ્રસૂરિના આદેશથી વાચનાચાર્ય રત્નમૂર્તિગણિ શિષ્ય વા. મેરુસુંદરગણિએ પડાવશ્યકવૃત્તિ બાલાવબોધ શ્રી તરૂણપ્રભાચાર્યકૃત બાલાવબોધના અનુસાર કર્યો. પ્રસ્તુત બાલાવબોધના આરંભમાં શ્રી મેરુસુંદરગણિએ મહાવીર સ્વામીને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy