SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ષડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ જૈનદર્શનમાં સાધુઓ અને શ્રાવકો માટે આચારના કેટલાક મહત્વના નિયમો દર્શાવવામાં આવ્યાં છે. તેમાંના મુખ્ય આ પ્રમાણે છે : ૧. પડાવશ્યક કર્મ ૨. દસ ધર્મોનું પરિપાલન ૩. દાન, શીલ, તપ અને ભાવ ૪. બાર અનુપ્રેક્ષા ૫. સલ્લેખના કે સમાધિમરણ આ નિયમોના પાલનથી મનુષ્ય રાગદ્વેષાદિ કષાયોનો નાશ કરીને શાંતિ અને સુખ પ્રાપ્ત કરી શકે છે. આ અખિલ સંસાર, જન્મ, જરા, મરણ, આધિ અને વ્યાધિરૂપ દુઃખથી ભરેલો છે, પ્રતિક્ષણ ચલિત સ્વરૂપથી દશ્યમાન થાય છે, તો પણ આવા ક્ષણભંગુર જગતમાં સર્વ જીવો સુખની વાંચ્છના રાખે છે. અને દુઃખના નાશની આકાંક્ષા ધરાવે છે. પરંતુ જ્યાં સુધી વાસ્તવિક સુખ દુઃખનું મૂળકારણ ન જણાય ત્યાં સુધી સુખની પ્રાપ્તિ અને દુઃખનો નાશ થવો અસંભવિત છે. એટલા માટે દુઃખના કારણભૂત મિથ્યાત્વ અવિરતિ (સાંસારિક સુખમાંથી ન નિવર્તવું) કષાય (ક્રોધ-માન-માયાલોભ) પ્રમાદ (સત્કાર્યોમાં આળસ રાખવો) અશુભયોગ (મન-વચન કાયાને ખોટી રીતે પ્રવર્તાવવા). હિંસા, આરંભ (પોતાના સુખ માટે અન્ય જીવોને હણવા) ઈર્ષ્યા, રાગ, દ્વેષ આદિ અંતરંગ શત્રુઓને જાણી તેના નાશ કરવાથી જ અવિનાશી આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. એટલા માટે સમસ્ત પ્રાણીઓના હિત માટે મહાવીર સ્વામીએ સમ્યજ્ઞાન, અને સમ્યક ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ બતાવી છે. એકાંત જ્ઞાન કે એકાંત ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ઋષિ-મુનિઓએ કહ્યું છે કે : જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ અર્થાત-સમ્યફ જ્ઞાન અને ક્રિયાથીજ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy