SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ છૂરીનો ઘા કર્યો. ઘા ચૂકી ગયો. રાજાએ સુરકુમારને દેશનિકાલ કર્યો અને રત્નપુર પત્ર લખીને ચંદ્રકુમારને બોલાવી રાજગાદી સોંપી દીધી. પછી શત્રુંજ્ય રાજા મરણ પામીને જંગલમાં ચીતડો થયો. ભટકતો ભટકતો સૂરકુમાર જંગલમાં આવી ચડ્યો. ચીતડાએ એ સૂરકુમારને જોતાં જ પોતાના પૂર્વ ભવનાં વૈરને લીધે, સૂરકુમારને મારી નાંખ્યો. સૂરનો જીવ મરીને, ભીલને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. જંગલમાં તે ભીલપુત્ર શિકાર કરવા ગયો. ફરતો ફરતો તે જ જગ્યાએ આવ્યો. ચીતડો અને ભીલપુત્ર બંને સામસામે લડ્યા અને બંને સાથે મરણ પામ્યા. મરીને બંને જણા સૂઅર તરીકે ઉત્પન્ન થયા. ત્યાં પણ યુદ્ધ કરીને, બંને જણા મૃગ થયા. ત્યાં પણ બંને જણા યુદ્ધ કરીને, મરણ પામીને બંને જણા હાથી થયા. તે બંનેને લડતા લડતા પકડીને, એક શિકારીએ ચંદ્રરાજાને ભેટ તરીકે આપ્યા. પરંતુ તે બંને હાથી ત્યાં પણ અંદરોઅંદર લડવા લાગ્યા. આ પ્રમાણે જોઈને ચંદ્રરાજાએ કેવલજ્ઞાની મુનિને પૂછ્યું કે, આ બંને માંહમાંહે કેમ લડે છે ? ગુરુ મહારાજે બંનેનાં પૂર્વ ભવોનો વૃત્તાંત કહ્યો. પોતાના પિતા અને મોટાભાઈની આ સ્થિતિ જોઈને, ચંદ્રરાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. રાજગાદી છોડી, દીક્ષા લીધી નિરતિચાર સંયમ પાળીને ચંદ્રરાજા દેવલોકમાં ઉત્પન્ન થયો. બંને હાથી, લડતાં લડતાં આયુષ્ય પૂર્ણ થવાથી, મરણ પામીને પહેલી નરકમાં ઉત્પન્ન થયા. વસુરાજા અને નારદની કથા સુક્તવતી નામની નગરીમાં ફીરકદંબક નામના ઉપાધ્યાય હતા. તેમની પાસે રાજાનો વસુ નામનો પુત્ર, પોતાનો પર્વત નામનો પુત્ર અને નારદ નામનો આ ત્રણે વિદ્યાર્થીઓએ વેદોનો અભ્યાસ સારી રીતે કર્યો હતો. કેટલાક સમય પછી ક્ષીરકદંબક ઉપાધ્યાય મરણ પામ્યા. ક્ષીરકદંબકની જગ્યાએ, તેમનો પુત્ર પર્વત ઉપાધ્યાય થયો. તે પર્વત, એક દિવસે પોતાના શિષ્યોને વેદોનો પાઠ કરાવતો હતો, તેમાં પર્વત શિષ્યોની પાસે અજનો અર્થ બોકડો કર્યો અને યજ્ઞમાં બોકડાને હોમવો એમ કહ્યું. તે વખતે નારદ હાજર હોવાથી, પર્વતને કહ્યું કે, “ભાઈ ! અજ શબ્દનો અર્થ ત્રણ વર્ષ જૂની ડાંગર, કે જે વાવવાથી ફરી ઊગે નહીં, તે હોમવાનું કહ્યું છે. પર્વતે, તે કબૂલ નહીં કરવાથી, બંને વચ્ચે વાદવિવાદ ઉપસ્થિત થયો. બેમાંથી જે જૂઠો સાબિત થાય તેને પોતાની જીભ કપાવી નંખાવી, એવો બંને જણાએ નિર્ણય કર્યો. સવારે વસુરાજા પાસે નિર્ણય કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. રાત્રિના સમયે પર્વતની મા વસુરાજા પાસે ગઈ. અને રાજાને કહ્યું કે, “તમે સવારમાં અજનો અર્થ બોકડો થાય એમ કહેજો'. રાજા વસુની પાસે દરબારમાં સવારે નારદ અને પર્વત હાજર થયા. બંને જણએ. પોતપોતાનાં અર્થ કહ્યાં. વસુરાજાએ ગુરુ દાક્ષિણ્યથી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy