SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૩૭ દરબારમાં ખોટી સાક્ષી પૂરી અને કહ્યું કે, “ઉપાધ્યાયજીએ અજનો અર્થ બોકડો કર્યો હતો. તે જ વખતે દેવતાએ વસુરાજાને લાત મારી સિહાસનથી નીચે પાડી નાંખ્યો, ખોટી સાક્ષી પૂરવાનાં પાપથી, વસુરાજા મરીને નરકે ગયો. પર્વત ઘણા કાળસુધી સંસારમાં ભટકશે અને નારદ ધર્મા પ્રભાવે દેવલોકમાં ઉત્પન્ન થયો. તિલક શેઠની કથા વળી, અચલપુરમાં એક તિલક નામનો શેઠ રહેતો હતો. તે શેઠ ચણા, અડદ, ચોખા, મગ, તુવેર, ઘઉં વગેરે અનાજ એક સાથે ખરીદીને તે, સવાઈ કીંમતે કે દોઢી કીંમતે તે વેચતો હતો. એક વખત દુષ્કાળમાં તેને ઘણો નફો થયો. વળી બીજી વખત સુકાળ થયો, તે વખતે સોંઘું ધાન્ય તેણે ખૂબ ખરીદ્યું અને ગામેગામે કોઠાર ભરાવ્યા અને પોતાની પાસેની સઘળી લક્ષ્મી અનાજ ભરવામાં ખરચી નાંખી. એક વખત તિલક શેઠને કોઈ નિમીત્તીયાએ દુકાળ પડવાની વાત કરી. તે સાંભળીને, શેઠે પોતાના ઘરનાં દાગીનાં, કપડાં, વાસણ વગેરે વેચીને અને મલ્યાં ત્યાંથી વ્યાજે પણ રૂપિયા લાવીને ઘણાં જ ધાન્યનો સંગ્રહ કર્યો. પરંતુ પ્રજાને પુણ્યબળે સારો વરસાદ થયો. દુકાળના બદલે સુકાળ થયો. વરસાદ વધારે થવાથી, તિલક શેઠના કોઠાર અનાજથી ભરેલા હતા. તેનું અનાજ નદીઓમાં પૂર આવવાથી તણાઈ ગયું. આ સમચાર સાંભળીને તિલક શેઠ હૃદય રોગ થવાથી અકાળે મરણ પામ્યો. તેને જે ધાન્ય ભરેલું હતું તેમાં ઘણાં જીવો ઉત્પન્ન થએલાં તેથી મરણ પામીને, તે તિલક શેઠ નરક ગયો. નંદરાજાની કથા પાટલીપુત્ર નગરના નંદ નામના રાજાએ, લોકોના ઉપર અનેક જાતના કર નાંખીને, પ્રજાને અન્યાયથી દંડીને, ખૂબ સોનું એકઠું કરી, ખજાનો ભેગો કર્યો હતો, અને તેણે સોનાની ટેકરી કરાવી. આ પ્રમાણે નંદ રાજાએ સોનાની નવ ટેકરીઓ કરાવી હતી. તે રાજાને દાહજવર ઉત્પન્ન થયો. તેથી ખૂબ પોકાર કરવા લાગ્યો. રાજાને આવી તીવ્ર વેદના ઉત્પન્ન થવાની વાત સાંભળીને, પ્રજા ખૂબ આનંદ પામી. રાજા તીવ્ર વેદના ભોગવીને નરકે ગયો. ઘણો સમય સંસારમાં ભમશે. આવી રીતે કરોડો સૌનૈયા એકઠા થવા છતાં, નંદ રાજાની આશા તૃપ્ત ન થવાથી નંદ રાજા દુર્ગતિ પામ્યો. ધર્મરાજાની કથા શ્રીકમલ નામના નગરમાં શ્રીશેખર નામનો રાજા રાજ્ય કરતો હતો. એક જ્યોતિષે, તે રાજાને કહ્યું કે, હે સ્વામી ! આવતા વરસથી બાર વરસનો દુષ્કાળ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy