SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૩૫ રસ્તામાં વળી, બીજો અપકાઈયો મલ્યો, તેને પણ ગુરુએ, પહેલા બાળકની માફક જ મારી નાંખ્યો. આ પ્રમાણે ગુરુએ છ બાળકોને મારી નાંખ્યા. આ પ્રમાણે ત્રીજો તેઉકાઈઓ, ચોથો વાઉકાઈઓ, પાંચમો વનસ્પતીકાઈઓ અને છકો ત્રસકાઈઓઆ છ કુમારોને મારી નાંખી, તેઓનાં બધાં આભરણ-દાગીના લઈને ઝોળી ભરી દીધી. ગુરુ તે આભરણ ભરેલી ઝોળી લઈને આગળ ચાલે છે, તેવામાં એક સાર્થવાહ અને તેની સ્ત્રી વિમુર્તી, અને દેવતાએ પોતે એક શ્રાવકનું રૂપ વિકુર્તી, આચાર્ય ઝોળીમાં હાથ ઘાલીને, ઘરેણાં ભરેલું પાતરું કાઢી લીધું, અને આચાર્યને સિંહકેસરીયા લાડુ વહોરાવવા લાગ્યો. અને આચાર્યની ઝોળીમાં ઘરેણાં ભરી દીધાં. ગુરુ કહેવા લાગ્યા કે, અમારે તેનો ખપ નથી. એવામાં બીજો શ્રાવક રસ્તામાં મલ્યો. તેને બળજબરીથી, ઝોળીમાં હાથ ઘાલી પાત્ર કાઢવું તો, પાત્ર પોતાના છ કુંવરોના દાગીનાથી ભરેલું દેખી, આચાર્યને કહ્યું કે, “આ તમારા સાધુપણાનાં લક્ષણ નથી”. તે સાંભળી આચાર્ય શરમાઈ ગયા. મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે વખતે, શ્રાવક તથા સાર્થવાહાદિકનાં રૂપો સંહરી લઈ, મૂળરૂપે દેવતા ગુરુની સન્મુખ ઊભો રહ્યો. પોતાનો પાછલા ભવનો વૃત્તાંત કહ્યો. “હું તમારો શિષ્ય, તમે મને ધર્મ આરાધના કરાવી, તેથી શ્રીજિનધર્મના પ્રતાપે, મારું આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકમાં ઉત્પન્ન થયેલ છું'. આચાર્ય ભગવંત, આલોયણ લઈ, સંયમ પાળીને દેવલોકમાં ઉત્પન્ન થયા. સૂર અને ચંદ્ર નામના બે ભાઈઓની કથા જયપુર નામના નગરમાં શત્રુંજય નામનો રાજા રાજય કરતો હતો. તે રાજાને સૂર અને ચંદ્ર નામના બે પુત્રો હતા. રાજાને સૂર ઊપર વધારે સ્નેહ હોવાથી, સૂરને યુવરાજ પદે સ્થાપ્યો. તેથી ચંદ્રકુમાર રીસાઈને પરદેશ ચાલ્યો ગયો. કેટલાક દિવસે ચંદ્રકુમાર રત્નપુર નામના નગરે પહોંચ્યો. ત્યાં તે સુદર્શન નામના જૈન સાધુ પાસે ધર્મદેશના સાંભળવા ગયો. ગુરુ મહારાજ પાસે તેને નિરપરાધી જીવને મારવી નહીં, એવું વ્રત લીધું. ચંદ્રકુમાર, રત્નપુર નગરના રાજા વિજયસેનને ત્યાં નોકરી કરતો હતો. એક વખતે રાજાએ ચંદ્રકુમારને હુકમ કર્યો કે મારા દુશ્મન એવા કુંભ રાજાને દગોફટકાથી મારી આવ. તે વખતે ચંદ્રકુમારે, પોતે ગુરુ પાસે લીધેલા નિયમની વાત કરી. તે સાંભળી વિજયસેન રાજા આનંદિત થયો, પછી ચંદ્રકુમારને પોતાના અંગરક્ષક તરીકે સ્થાપન કર્યો. તેના લગ્ન પણ એક ઉત્તમ કન્યા સાથે ધામધૂમથી કરાવી આપ્યા. એક વખતે સૈન્ય લઈન કુંભરાજાના નગર ઊપર ચઢાઈ કરીને, કંભરાજાને હરાવી બાંધીને, વિજયસેન રાજા પાસે લાવ્યો, રાજાએ તેને ઘણું માન આપ્યું. અહીં ચંદ્રકુમાર આનંદથી સુખમાં પોતાનો કાળ નિર્ગમન કરવા લાગ્યો. અહીં સૂર યુવરાજે, પોતાના પિતા શત્રુજ્ય રાજાને મારી નાંખવા માટે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy