SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ છ મહિના પછી સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે દરરોજ પાંચસો સોનામહોરો પ્રાપ્ત થવા લાગી. આ દૃષ્ટાંતથી ધર્મના ફલ માટે શંકા ન કરવી. કાંક્ષા ઉપર દૃષ્ટાંત એક બ્રાહ્મણ ધારાદેવીની દરરોજ આરાધના કરતો હતો. લોકો પાસેથી ચામુંડાદેવીની પ્રસંશા સાંભળીને, તેણે ચામુંડાદેવીની આરાધના કરવાની શરુ કરી. એક વખતે નદીમાં પૂર આવવાથી, તે મોટા અવાજે બોલ્યો કે, “હે ધારાદેવી ! તારો સેવક પાણીમાં ડૂબે છે, માટે તેને ઉગારી લે. અરે ચામુંડાદેવી ! તમે પણ સેવકની મદદે આવીને મને નદીના પાણીમાં ડૂબતો બચાવી લો. તે વખતે બંને દેવીઓ ત્યાં હાજર થઈ. પરંતુ, બંને દેવીઓ એક બીજા પર અદેખાઈ રાખતી હોવાથી, કોઈએ બ્રાહ્મણને મદદ ન કરી. બિચારો બ્રાહ્મણ અંતે ડૂબી ગયો. જો તે એકની જ આરાધના કરતો હોત તો ઉગરી જાત. વિચિકિત્સા ઉપર આષાઢાભૂતિનું દૃષ્ટાંત આષાઢાભૂતિ નામના આચાર્ય ભગવંતે ઘણાં શિષ્યોને નિર્જરા કરાવી દેવલોકે પહોંચાડ્યા. એક વખતે એક લઘુ શિષ્યને નિર્જરા કરાવતાં કરાવતાં કહ્યું કે, “હે શિષ્ય ! જો તું દેવલોકમાં ઉત્પન્ન થાય તો મને દર્શન આપજો. શિષ્ય હા પાડી. શિષ્ય અણસણ કરીને, સમાધિ પૂર્વક કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થયો. દેવલોકમાં તે દેવલોકની ઋદ્ધિ તથા દેવાંગનાઓનાં રૂપમાં મોહિત થઈ જવાથી તત્કાલ આવી ન શક્યો. દેવલોકનાં સુખોમાંલીન થએલો શિષ્ય કેટલાક વખત સુધી નહીં આવવાથી, આચાર્યે વિચાર્યું કે, મારો શિષ્ય દેવતા થયો હોય તો, જરૂર આવ્યા વગર રહે નહીં, પણ હું માનું છું કે, દેવલોકાદિક છે જ નહીં. આટલા દિવસ જે જપ, તપ, નિયમ, સંયમ વગેરે પાળ્યું તે, આત્માને ખોટો કલેશ પમાડ્યો. આ પ્રમાણે વિચાર કરીને સાધુવેશનો ત્યાગ કરવા માટે ઉપાશ્રય છોડીને એકલા જ નીકળી ગયા. ' તે વખતે, દેવતા બનેલા નાના શિષ્ય, અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ગુરુનું સ્વરૂપ દેખ્યું. ગુરુના જવાના માર્ગમાં દેવતાએ નાટક વિદુર્ગા. આચાર્યએ છે મહિના સુધી નાટક જોયું. નાટકનું વિસર્જન ક્ય પછી આચાર્ય આગળ ચાલ્યા, રસ્તામાં અનેક રત્નજડિત સોનાનાં આભૂષણો પહેરેલો દેવકુંવર જેવો એક નાનો બાળક એકલો મલ્યો. તેણે આચાર્યને રસ્તો પૂક્યો. આચાર્યે કહ્યું કે, “અહીં આવે, રસ્તો દેખાડું, પણ તારું નામ શું?' બાળકે કહ્યું કે, “પૃથ્વીકાઈયો', પછી ખાનગીમાં તેને બોલાવી, તેના બધા દાગીના ઊતારી લઈ, તે બાળકને મારી નાંખ્યો. પછી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy