SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૩૧ ભાગ્યયોગે કોઈ રોગ ઉત્પન્ન થયો. રોગ મટી જતાં જ, રાજપુત્ર પ્રતાપસિંહને ગાદીએ બેસાડીને, રાજસિંહ રાજાએ તથા રાણી રત્નવતીએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. કેટલોક સમય સાધુપણામાં પસાર કરીને, નિરતિચાર ચારિત્ર પાળીને, અંત સમયે સમસ્ત જીવરાશિને ખમાવતાં અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા રાજર્ષિ રાજસિંહ મુનિ કાળધર્મ પામ્યા. કાળધર્મ પામીને, બ્રહ્મનામના પાંચમા દેવલોકમાં, દશ સાગરોપમનાં આયુષ્યવાળા બ્રાઁદ્ર નામના ઇંદ્ર તરીકે ઉત્પન્ન થયા. રાણી રત્નાવતી પણ તે જ દેવલોકમાં ઈંદ્ર સમાન ઋષિવાળા દેવ તરીકે ઉત્પન્ન થઈ. શ્રીઅતિમુક્તકની કથા ભરતક્ષેત્રમાં આવેલા પોલાસપુર નામના નગરમાં વિજય નામે રાજા અને શ્રીદેવા નામની, તેની રાણી હતી. તેમને અઈમુત્તા નામનો રાજકુમાર હતો. એક વખત મહાવીર પ્રભુ પોલાસપુર નગરના ઉદ્યાનમાં સમોસર્યા હતા. ગણધરદેવ શ્રીગૌતમસ્વામી બપોરના સમયે, છઠના પારણ, આહારપાણી વહોરવા માટે ફરતા હતા તે, છ વરસની ઉંમરનાં રાજકુમાર અઈમુત્તાની નજરે રમતાં રમતાં પડ્યા. ગજરાજની માફક આનંદથી આવતા સમતાવંત તેજસ્વી અને સુંદર સ્વરૂપવાન શ્રીગૌતમસ્વામીને જોતાં જ રાજકુમાર અઈમુત્તો કે જે, પોતાની ઉંમરના નાનાં નાનાં બાળકોની સાથે રમતો હતો, તે પોતાની રમત બંધ કરીને, શ્રી ગૌતમસ્વામીજીને પૂછવા લાગ્યો કે, “આપ કોણ છો અને કેમ આવ્યા છો? તથા આપને શું જોઈએ છે? તે મને કહો.” તે વખતે શ્રી ગૌતમસ્વામીએ કહ્યું કે, “વત્સ ! હું સાવું છું. ભિક્ષા લેવા માટે આવ્યો છું.” આવી વાત સાંભળીને, અઈમુત્તો કુંવર બોલ્યો કે, “તો આપ મારા ઘેર પધારો, જેથી હું આપને આહારપાણી વહોરાવું', પછી. શ્રીગૌતમસ્વામીની આંગળી પકડીને, પોતાના ઘરે લઈ ગયો. અને નિરવદ્ય મોદક વહોરાવ્યા. હોરીને. પાછા વળતાં ગૌતમસ્વામી ને પૂછવા લાગ્યો કે, “આપ ! ક્યાં જશો ?' શ્રીગૌતમસ્વામીએ કહ્યું કે, “મારા ગુરુ ભગવાન્ મહાવીરસ્વામી ઉદ્યાનમાં સમોસર્યા છે, તેમની પાસે હું જઈશ”. આ પ્રમાણે સાંભળીને, આનંદિત થયેલો અઈમુત્તો બોલ્યો કે, “શું વળી, તમારે પણ ગુરુ છે? તો મને પણ આપણા ગુરુ બતાવો. તમારા ગુરુને જોવા, હું પણ તમારી સાથે આવું છું. એમ કહી, પ્રભુ મહાવીરને વંદન કરવા, અઈમુત્તો ગૌતમસ્વામીની સાથે ચાલ્યો. પ્રભુએ, તેને યોગ્ય જાણી, ધર્મદેશના દીધી. પ્રભુની Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy