SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ દેશના સાંભળીને, અઈમુત્તો સંસારથી વિરક્ત થયો. દીક્ષા લેવા ઈચ્છા રાખતો. સ્વામીને કહેવા લાગ્યો કે, “હે સ્વામી ! માતા પિતાની આજ્ઞા લઈ, આપની પાસે દીક્ષા લઉં, ત્યાં સુધી આપ અહીંયાં જ રોકાજો”. પછી માતાપિતાના ખૂબ આગ્રહથી, એક દિવસનું રાજય ભોગવી, પ્રભુ મહાવીર પાસે અઈમુત્તા કુમારે દીક્ષા લીધી. પ્રભુએ અઈમુત્તા કુમારને, સાધુની ક્રિયાનો અભ્યાસ કરવા માટે સ્થવિર સાધુઓને સોંપ્યો. એમ અઈમુત્તો સાધુ ધર્મની ક્રિયાનો અભ્યાસ શીખતો શીખતો, શ્રીગૌતમસ્વામીની પાસે જ રહેવા લાગ્યો. એક વખતે વર્ષાઋતુમાં, વરસાદ બંધ થઈ ગયા પછી, કેટલાક સાધુઓ સાથે, અઈમુત્તા મુનિને સાથે લઈને, ગૌતમસ્વામી અંડિલ ભૂમિ ગયા. વનમાં સાથેના સાધુઓ એક વડના ઝાડની નીચે અંડિલ ગયા. તે વખતે બાળક અઈમુત્તા મુનિ, પ્રાણીનો પ્રવાહ વહેતો દેખીને, માટીની પાળ કરી, પાણીને રોકીને, પાણીનું નાનું તળાવ બનાવીને, પલાસપત્રની નાવડી બનાવીને, તે નાની તલાવડીમાં નાવડી મૂકીને બાલક્રીડા કરવા લાગ્યા અને બોલવા લાગ્યા કે, “મારી નાવડી દરિયામાં ચાલે છે'. એમ કહી હસવા લાગ્યા. તે વખતે, ગૌતમસ્વીમીજી આ પ્રમાણે બાલક્રીડા કરતા બાળક અઈમુત્તા મુનિને દેખીને, કહેવા લાગ્યા કે, “હે વત્સ ! આ શું કરે છે ? સચિત્ત જલનો સંઘટટો સાધુએ ન કરવો જોઈએ. તે કેમ કર્યો? આ પાપ ક્રિયાથી સાધુ ધર્મને દોષ લાગ્યો. તારી, નાની ઉંમરના લીધે, કૌતુકથી તલાવમાં કાચલી મૂકીને રમતાં, તારી નાવડી તરે છે, એમ જે કહ્યું કે તારે ન કરવું જોઈએ. એમ કહી, અઈમુક્તાને પ્રભુ મહાવીર પાસે લઈ ગયા. પછી, ગૌતમસ્વામી વગેરે સાધુઓ પ્રભુને વિનંતી કરીને કહેવા લાગ્યા કે, “હે સ્વામી ! આપે છ વરસના અજ્ઞાન બાળકને દીક્ષા તો આપી છે પરંતુ એ છે કાયની રક્ષા કઈ રીતે કરશે. હમણાં જ તે વિરાધના કરીને આવ્યા છે. પ્રભુએ કહ્યું કે, “હે ગૌતમ વગેરે સાધુઓ ! આ નાનાં શિષ્યની નિંદા ન કરો. તેને ધીમે ધીમે સાધુક્રિયા શીખવાડો. તમારા કરતાં તેને, પહેલું કેવલજ્ઞાન ઉપજવાનું છે”. પછી મિચ્છામિદુક્કડ દેઈ, સાધુઓ પહેલાંની માફક જ સિદ્ધાંત વગેરેનો અભ્યાસ કરવા લાગ્યા. નાના સાધુ જાણી, બીજા સાધુઓ, અઈમુત્તાની વૈયાવચ્ચ કરવા લાગ્યા. એમ ભણતાં ભણતાં અઈમુત્તા મુનિ બહુશ્રુત થયા. સોલ મહિનાનો ગુણ સંવત્સર તપ અઈમુત્તાએ કર્યો. અઈમુત્તા મુનિ જ્યારે નવ વરસના થયા ત્યારે, એક વખતે રસ્તે જતાંબાળકોને ધૂળ અને પાણીની ક્રીડા કરતાં દેખીને, પોતે પહેલાં કરેલી સચિત પાણી અને માટીની વિરાધના સંભારીને પશ્ચાતાપ કરતા તત્કાલ કેવલજ્ઞાન પામ્યા. દેવતાઓ કેવલજ્ઞાનનો મહોત્સવ કરવા આવ્યા. પ્રભુએ સાધુઓને કહ્યું કે, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy