SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ પોતાનું રૂપ પ્રગટ કર્યું, તેવી જ રીતે પોતાનું કુલ, તથા ગોત્ર પણ પ્રકાશો. તે વખતે સુમતિ મિત્રએ, કુંવરનો દેશ, નગર, માતા-પિતા કુલ ગોત્રાદિનું નામ કહ્યું અને પોતાના વતનમાં મળેલા મુસાફરનો તથા રસ્તે ચાલતાં, ચિંતામણી રત્નની તથા ઔષધિની પ્રાપ્તિનો સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. રત્નાવતીએ આ બધો વૃત્તાંત, પોતાના પિતાને જણાવ્યો. આ વૃત્તાંત સાંભળીને રાજા મનમાં હર્ષ પામ્યો, શુભ દિવસે અને શુભ મૂહૂતે રાજકુમારી રત્નાવતીના લગ્ન રાજકુમાર રાજસિંહ સાથે મોટા મહોત્સવ પૂર્વક કરવામાં આવ્યાં. પહેરામણીમાં અનેક હાથી, ઘોડા તથા અડધું રાજ આપ્યું. રાજસિંહકુમાર પણ રાજકુમારી રત્નવતી સાથે આનંદથી કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક વખત રાજસિંકુમારના પિતા મૃગાંક રાજાનો દૂત પત્ર લઈને ત્યાં આવ્યો. તેમાં લખ્યું હતું કે, “હે પુત્ર ! હવે હું વૃદ્ધ થયો છું, તેથી રાજય છોડીને દીક્ષા લેવાની ઈચ્છા રાખું છું, તેથી આ પત્ર વાંચીને તરત જ મને આવીને મલ.” પોતાના પિતાનો આ પત્ર વાંચતાં જ, પોતાના સસરાની અનુમતિ લઈને, રત્નવતી સહિત, સસરાએ આપેલા મહામૂલ્ય દાયજા અને ચતુરંગી સૈન્ય સહિત રાજહિંસકુમાર મણિમંદિર નગરમાં ઘણી જ ઉતાવળથી આવી પહોંચ્યો. મૃગાંક રાજાએ ભારે મહોત્સવપૂર્વક રાજકુમાર રાજસિંહ અને રાજકુમારી રત્નાવતીનો પૂર પ્રવેશ કરાવ્યો. રાજકુમારે રાજમહેલમાં પેસતાં જ પિતાને પ્રણામ કર્યા અને બંને પિતા-પુત્ર ભેટી પડ્યા. સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો. આખું નગર પણ આનંદિત થયું. મૃગાંક રાજા વિચારવા લાગ્યો કે, હવે રાજસિંહ કુમારને ગાદીએ બેસાડીને, હું દીક્ષા અંગીકાર કરું. રાજા આ વિચાર કરતો હતો, તે જ વખતે વનુપાલકે વધામણી આપી કે, હે સ્વામી! ઉદ્યાનમાં ગુણસાગરસૂરિ ગુરુ મહારાજ પધાર્યા છે. મૃગાંક રાજા આ સમાચાર સાંભળીને આનંદિત થયો. રાજસિંહ કુમારને ગાદીએ બેસાડીને મોટા મહોસ્વપૂર્વક મૃગાંક રાજાએ ગુણસાગરજી પાસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કરીને, તીવ્ર તપ તપતાં મૃગાંક રાજર્ષિ અંત સમયે અનશન કરીને દેવલોક પામ્યા. રાજસિંહ રાજાએ પણ ગુરુ મહારાજ પાસે શ્રાવકનાં બારવ્રત ઉચર્યા. શ્રાવકધર્મ પાળતાં અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં રાજસિંહ રાજાએ ઘણો સમય રાજ્યસુખ ભોગવ્યું. સંસાર સુખ ભોગવતા, રાણી રત્નાવતીની કુક્ષિથી પ્રતાપસિંહ નામનો એક મહાપ્રતાપી પુત્ર ઉત્પન્ન થયો. રાજકુમાર પ્રતાપસિંહ યૌવનાસ્થાને પામ્યો. એક વખતે રાજસિંહ રાજાને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy