SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર રહેલા લોકોનું ધ્યાન, અવાજ કરી ખેંચવું. (૩) આનયન મર્યાદાની બહાર રહેલી વસ્તુઓ બીજા પાસે મંગાવવી. (૪) રૂપાભિવ્યક્ત્તિ - મર્યાદા બહાર રહેલી વ્યક્તિઓ સાથે વ્યવહાર કરવા નિશાની કે ચેષ્ટાઓનો ઉપયોગ કરવો (૫) પુતક્ષેપ પથ્થર ઈંટ, કે માટીના ઢેફા જેવી મૂર્ત વસ્તુ, મર્યાદા બહાર રહેલી વ્યક્તિનું ધ્યાન ખેંચવાના હેતુથી ફેંકવી. પોષધાપવાસ વ્રતના પાંચ અતિચારો ગણાવ્યા છે : (૧) પ્રતિપાર પરીક્ષણ વિના અને સંભાળપૂર્વક તપાસ્યા વિના પૂજા દ્રવ્યો લેવા (૨) વિસર્પાતિવાર તપાસ્યા વિના પૂજાદ્રવ્યો મૂકવાં અને શરીર ફેલાવવું. (૩) આસ્તરગતિચાર કાળજીપૂર્વક તપાસ્યા વિના અને જગ્યાને ધીમેથી વાળીને સાફ કર્યા વિના પોતાનું બિછાનું બિછાવવું (૪) અનાવરતિપાર એટલે ઉપવાસની વાતમાં ઉત્સાહ ન બતાવવો (૫) અમ્મરળાતિવાર એટલે ધર્મગ્રંથોનું અધ્યયન, એકાગ્રતા વગેરેના પાલનમાં વિસ્મરણ. ૯૯ વૈયાવૃત્યવ્રતના પાંચ અતિચારો આ પ્રમાણે છે : (૧) હરિતાપિયાન લીલાં પાંદડાં, ફૂલ કે બીજી સચિત્ત વસ્તુઓ વડે ખોરાકને ઢાંકવો, (૨) ઇતિનિધાન સચિત્ત પાંદડાઓમાં ભોજન આપવું. (૩) અનાવરાતિવાર ભોજન આપતાં અપમાન કરવું કે સન્માન ન કરવું. (૪) અસ્મળતિવાર આપવાની રીત ભૂલી જવી અથવા આપવાને વખતે પોતાના કામમાં મગ્ન રહેવું. (૫) મારિત એટલે બીજા શ્રાવકો સાધુઓને ભિક્ષા આપતા હોય, ત્યારે ઈર્ષ્યા અનુભવવી. અનંતકાય - ગૃહસ્થ આનિવિકટથી સંક્ષેપનાના અતિચાર અનેક પ્રકારના પાપ, દૃષ્કૃત્યો, અતિચારોની આલોચના, પ્રતિક્રમણનું મહત્વ બતાવીને સર્વ જીવોની ક્ષમાપના કરવાનો બોધ છે. સર્વ જીવોને હું ક્ષમા આપું છું. સર્વ જીવો મને ક્ષમા આપજો. સર્વ જીવો સાથે મારે મિત્રતા છે. કોઈની સાથે મારે વે૨ નથી. સૌના દૃષ્કૃત્યો મિથ્યા થાવ. અંતમાં આ બાલાવબોધ સં. ૧૫૭૫, શ્રાવણસુદ, ચોથને દિવસે ખરતર ગચ્છનાયક શ્રી જિનરાજસૂરિ પટ્ટાલંકાર, શ્રી જિનભદ્રસૂરિના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિના આદેશથી શ્રી મંડપમહાદુર્ગે, સંઘની અભ્યર્થના માટે વાચનાચાર્ય રત્નમૂર્તિગણિ શિષ્ય શ્રાવક મેરુસુંદરસૂરિએ શ્રી તરુણપ્રભાવાચાર્યકૃત બાલાવબોધના તત્ત્વસારરૂપ આ ષડાવશ્યક બાલાવબોધ રચ્યો છે. ગ્રંથાગ્રંથ ૧૫૦૦, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy