SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ સપાટી પૂરતી મર્યાદા નક્કી કરી હોય, તો માણસ કૂવામાં ઉતરી ન શકે તેમ જ દાણા ભરવા માટે ખોદેલ ખાડામાં કે ખાણમાં ન ઉતરી શકે. (૩) મર્યાદિત દિશાઓની ઉપર આઠ દિશાઓમાંથી કોઈ પણ દિશામાં પ્રવાસ કરવો (ત્તિયંન્દ્રિમાળાતિમ). નદીઓ કે પર્વતો જેવી જાણીતી સીમાઓ દ્વારા મર્યાદા નક્કી કરી શકાય અથવા યોજન, માઈલ કે બીજા પ્રમાણોની પરિભાષામાં અંતર નક્કી કરી શકાય. જાણીબુઝીને આ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય, તો તે ભંગ છે. ભૂલથી કે અજાણતાં થયું હોય તો તે અતિચાર છે. (૪) ચોથા પ્રકારનો અતિચાર મર્યાદા લંબાવવામાં છે. (ક્ષેત્રવૃદ્ધિ) - સગવડ ખાતર કે ભૂલથી મર્યાદા ઓળંગવાનો પ્રયાસ આમાં આવી જાય છે. (૫) ભૂલથી મર્યાદા ઓળંગવી (સ્મૃતિ-અન્તર્ધ્યાન) ૯૮ અનર્થદંડના પાંચ અતિચારો નોંધ્યા છે :(૧) ર્વ એટલે કે પોતાને કે બીજાને વાસના કે મોહ પ્રેરે એવી અસભ્ય ભાષા બોલવી, તિરસ્કારયુક્ત હાસ્ય, ધૃણાયુક્ત અથવા તોછડી વાણીનો પ્રયોગ (૨) હ્રૌટત્ત્વ એટલે બિભત્સ વિચાર, વાણી કે ક્રોધથી પ્રેરાયેલાં દુષ્કૃત્યો કરવાં (૩) મૌર્ય એટલે ઉદ્ધતાઈ કે મિથ્યાભિમાનથી બિભત્સ, નિરર્થક અને અર્થહીન વાતો કરવી. (૪) અતિપ્રસાધન એટલે જરુરથી વધારે વસ્તુઓનો સંગ્રહ કરવો. શ્વેતાંબરોના મત પ્રમાણે આ અતિચાર સંયુત્તાધિરળ કહેવાય છે જેનો અર્થ કૃષિ વગેરેની દૈનિક પ્રવૃત્તિ માટેનાં ઉપકરણો કે ભાગો સાથે રાખવાં.' એવો થાય છે. અસમીધિરળ એટલે ગુસ્સો કે તિરસ્કાર, પ્રેરે એવાં વાચન કે બ્લોકપઠન જેવી નિરર્થક માનસિક કે શારીરિક પ્રવૃત્તિ કરવી, માનસિક સંતુલન જોખમાવે એવી વાતો કહેવી, વસ્તુઓ ઉંચકવા કે ફેંકવાની પ્રવૃત્તિ કરવી અથવા દોડવું. ભોગોપભોગ વ્રતના પાંચ અતિચારો હોય છે : (૧) વિષયવિષતોહનુપ્રેક્ષા એટલે કે ઐન્દ્રિય સુખરૂપી વિષ માટેના પ્રેમને ત્યજવામાં નિષ્ફળ જવું. વિષયોપભોગથી વિષયો માટેની તૃષ્ણા વધે છે. અને શારીરિક બળ તેમજ મનની શુદ્ધઇનો હ્રાસ થાય છે તેથી તેને માટે ધિક્કાર કેળવવો જોઈએ. (૨) અનુસ્મૃતિ એટલે ઐન્દ્રિય ઉપભોગોના પૂર્વાનુભવોનું વારંવાર સ્મરણ કરવું (૩) અતિતીત્ય વિષયોપભોગમાં ઉત્સાહ દાખવવો અથવા વધુ પ્રમાણમાં પ્રવૃત્તિ કરવી (૪) અનુભવ એવી માનસિક અવસ્થા જેમાં કાંઈ ન હોવા છતાં માણસ વિષયોપભોગ વિષે ભારપૂર્વક વિચાર કરે. દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારોનો તે નિર્દેશ કરે છે :(૧) પ્રેષપોતે નક્કી, કરેલી મર્યાદાથી બહાર નોકર, મિત્ર કે પુત્રને કોઈ કામ સોંપવું. સાધક બીજાને મર્યાદાની બહાર જવા કહેવાથી, જીવોને હાનિ પહોંચાડીને વ્રતનું ઉલ્લંઘન કરે છે. (૨) શX - પોતાની ઈચ્છિત વસ્તુ કરાવવાના આશાએ મર્યાદાની બહાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy