SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ કર્યું હોય આદિ કારણોથી સંયમ સંબંધી અતિક્રમ (અકૃત્ય સેવનનો ભાવ), વ્યતિક્રમ (અકૃત્ય સેવનની સામગ્રી મેળવવી), અતિચાર (અકુત્ય સેવનમાં ગમનાદિરૂપ પ્રવૃત્તિ કરવી) તથા અનાચાર (અકૃત્યનું સેવન કરવું) થઈ જવાને કારણે મારાથી જે અતિચાર થયા હોય ‘તસ મિચ્છામિ દુક્કડું' (સૂ.૫) આ અતિચાર સંક્ષેપથી એક પ્રકારના છે, અને વિસ્તારથી બે-ત્રણ આદિ આત્મધ્યવસાયથી સંખ્યાત અસંખ્યાત યાવત્ અનન્ત પ્રકારના છે, તેમાંથી એક વગેરેનો ભેદ કહે છે - “ડિમામિ વિરો' ઇત્યાદિ એક પ્રકારનો અસંયમ થવાથી મને જે અતિચાર લાગ્યો હોય એ પ્રમાણે રાગ-દ્વેષ રૂપ બે બમ્પનોના કારણે સમ્યકુ – જ્ઞાનાદિ રૂપ રત્નત્રયનો નાશ કરીને આત્માને અસાર કરવાવાળા, અથવા પ્રાણીઓની હિંસામાં નિમિત્તભૂત માનસિક, વાચિક અને કાયિક એ ત્રણ ઇંડોના કારણે વિહિતનું અનુષ્ઠાન ન કર્યું હોય અને નિષિદ્ધનું સેવન કર્યું હોય, તથા અશ્રદ્ધાથી સમ્યફ અસેવિત યોગનિરોધરૂપ મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, આ ત્રણ ગુપ્તિઓના કારણે અશુભ કર્મોનાં ખાડામાં અથવા નરકમાં નાખનારી, અથવા વિષયોમાં પ્રાણીઓને લોભાવનારી માયા, ઐહિકચક્રવર્તી આદિ, પરલોક સંબંધી દેવ ઋદ્ધિ આદિ પદોની પ્રાપ્તિની થનારી વિષયસુખની લાલસારૂપ તીક્ષ્ણ ધારથી યુક્ત કુઠાર સમાન, આત્મરૂપ ભૂમિમાં ઉત્પનન સમકિતરૂપ અંકુરથી યુક્ત નિર્મલ ભાવનારૂપ જલથી સીંચેલ, તપસંયમ આદિ ફૂલોથી ભરેલા મોક્ષરૂપ ફલથી વિભૂષિત કુશલ કર્મ રૂપ કલ્પવૃક્ષને કાપવાવાળા નિદાન (નિયાણું) અને મોહકર્મના ઉદયથી ઉત્પન્ન થનારા અભિપ્રાય રૂપ મિથ્યાદર્શન, આ ત્રણ શલ્યોથી, રાજા અથવા આચાર્ય અદિ પદની પ્રાપ્તિ રૂપ ઋદ્ધિગૌરવ, મધુર આદિ રસની પ્રાપ્તિના અભિમાનરૂપ શાતગૌરવ, એ પ્રમાણે જ્ઞાનની (જેના વડે જીવાદિ પદાર્થ જાણી શકાય તે જ્ઞાન, તેની વિરાધના, દર્શનની (જેના વડે જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવામાં આવે, પ્રવચનમાં રુચિ થાય તે દર્શન, તેની) વિરાધના, ચારિત્રની (મોક્ષાર્થી જીવોને સેવન કરવા યોગ્ય, અથવા આત્માને કર્મરહિત કરવાવાળો ચરિત્ર, તેની) વિરાધના, આ ત્રણ વિરાધનાઓના કારણે (આરાધનાનો અભાવ અથવા ખંડનારૂપ) કારણે મને જે અતિચાર લાગ્યો હોય તો તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવનાર અથવા જવું આવવું વગેરે ક્રિયારૂપ કંટકોમાં પ્રાણીઓને ખેંચી જવાવાળા, અથવા આત્માને મલિન કરવાવાળા જીવના પરિણામોને કષાય કહે છે. આ કષાય અર્થાત્ ક્રોધ, માન, માયા અને લોભના કારણે, જેના વડે જીવ અને અજીવની ચેષ્ટા જાણવામાં આવે એવી આહાર, ભય, મૈથુન તથા પરિગ્રહ રૂપ સંજ્ઞાના કારણે, અને સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy