SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુસુંદરમણિકત પડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ૯૫ તથા રાજકથારૂપ ચાર વિકથાઓ કરવાના કારણે જે કોઈ અતિચાર થયા હોય તો તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. કહ્યું છે કે “છબસ્થને એક વસ્તુમાં અન્તર્મુહૂર્ત માત્ર મનનું અવસ્થાન રહે છે તેને ધ્યાન કહે છે. તે ધ્યાન (૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ, (૪) શુક્લ ભેદથી ચાર પ્રકારનું છે. તેમાં (૧) આર્તધ્યાન તેને કહે છે કે :-“જે અત્તિ મનની પીડાની સાથે અથવા ઋતિ-અશુભની સાથે થનારું હોય, અર્થાત ઈષ્ટ શબ્દાદિનો સંયોગ અને અનિષ્ટનાં વિયોગનું ચિન્તન કરવું, જેમકે-જેમાં મોહવશ રાજયના ઉપભોગ શપ્યા, આસન, હાથી, ઘોડા આદિ વાહન, સ્ત્રી, ગન્ધ, માલા, મણિ, રત્ન, ભૂષણ વગેરેની ઈચ્છા ઉત્પન્ન થાય છે અને એ સર્વથી વિપરીત સંયોગોથી અનિચ્છા કરવી તે આર્તધ્યાન કહેવાય છે. (૨) ઉપઘાત-વગેરે પરિણામોથી જીવને રડાવે અર્થાત-દુઃખી કરે, અથવા અત્યંત ક્રૂર આત્માનું જે કર્મ (આત્મપરિણામરૂપ ક્રિયાવિશેષ) તેને “રૌદ્રધ્યાન' કહે છે. જેમ કહ્યું છે કે જેના દ્વારા છેદન, ભેદન, દહન, મારણ, બંધન, પ્રહરણ, દમન, કર્તન (કાપવું) વગેરેના કારણથી રાગ-દ્વેષનો ઉદય થાય અને દયા ન થાય આવા આત્મપરિણામને “રૌદ્રધ્યાન' કહે છે. (૩) વીતરાગની આજ્ઞારૂપ ધર્મયુક્ત ધ્યાનને “ધર્મધ્યાન' કહે છે. કહ્યું છે કે :- આગમનો સ્વાધ્યાય, વ્રતધારણ, બંધ-મોક્ષાદિનું ચિન્તન, ઇંદ્રિયદમન તથા પ્રાણીઓ પર દયા કરવી તેને ધર્મેધ્યાન કહે છે. (૪) શુક્લ અર્થાત્ સકલ દોષોથી રહિત હોવાના કારણે નિર્મલ અથવા શુદ્ધ, જ્ઞાનાવરણીય આદિ કર્મમલને દૂર કરનાર ધ્યાનને શુક્લધ્યાન કહે છે. જેમ કહ્યું છે કે :- જેની ઇંદ્રિયો વિષયવાસનારહિત હોય, સંકલ્પ-વિકલ્પ-દોષયુક્ત જે ત્રણ યોગ તેનાથી રહિત એવા મહાપુરુષના ધ્યાનને “શુક્લધ્યાન” કહે છે. સંક્ષેપથી ચાર ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે છે : “કોઈ વસ્તુની કામનાથી યુક્તને આર્ત, હિંસાદિથી યુક્તને રૌદ્ર, ધર્મથી યુક્તને ધર્મ અને સર્વ પ્રકારના દોષ રહિતને શુક્લધ્યાન કહે છે. આ ચાર ધ્યાનોના નિમિત્તથી જે કાંઈ અતિચાર લાગ્યા હોય તો તેનાથી હું નિવૃત્ત થાઉં છું. - ક્રિયા પાંચ પ્રકારની છે. (૧) કાયિકી, (૨ અધિકરણિકી, (૩) પ્રાષિકી, (૪) પારિતાપનિકી, (૫) પ્રાણાતિપાતિકી. હવે પ્રત્યાખ્યાનના દસ પ્રકાર કહ્યાં છે : નમસ્કાર, પૌરુષ્ય, પુરિમાદ્ધ, એકાશન, એકસ્થાન, આચાકલ, અતિકતાર્થ, ચરમ, અભિગ્રહ અને વિકૃતિ.. ૧. અનાગત-વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) આદિ કારણ વશ નિયત (નિર્ણય Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy