SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુસુંદરમણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ૯૩ યદ્યપિ સાધુઓને માટે દિવસમાં સુવાનો નિષેધ છે તો પણ શયન સંબંધી દેવસિક અતિચાર બતાવવાથી એ સિદ્ધ થાય છે કે વિહાર આદિથી ખૂબ થાકી જવાના કારણે અથવા બીજા અનિવાર્ય કારણોથી દિવસે સૂવું પડે તો આવી અવસ્થાને માટે ઉપર કહેલો દેવસિક અતિચાર બતાવેલ છે. આવી રીતે શયન સંબંધી અતિચારોના પ્રતિક્રમણ કહીને હવે ગોચરીના અતિચાર સંબંધી પ્રતિક્રમણ કહે છે – “ડિમામિ યર. ‘ત્યાદ્રિ'. ગાયની જેમ ઠેકાણેથી થોડો થોડો આહાર લેવા માટે ફરવું તે કાજે ગોચરચર્યા કહે છે. તસ્વરૂપ જે ભિક્ષાચર્યા અર્થાત ઉત્તમ મધ્યમ અને નીચ સાધારણ કુળોમાં તથા ઈષ્ટ અનિષ્ટ વસ્તુઓમાં રાગાદિ રહિત થઈને લાભાલાભમાં સમાન ભાવથી આહાર આદિ ગ્રહણ કરવું. તેમાં સાંકળ વિના બંધ કરેલ અગર અર્ધા વાસેલા કમાડને પૂજ્યા વિના અથવા ધણીની આજ્ઞા વિના ખોલવાથી, કુતરા, વાછરડા, બાલક, આદિને ધકેલીને અથવા ઓળંગીને જવાથી, કૂતરા વિગેરે માટે કાઢેલો અગ્રપિંડ લેવાથી, દેવતા, ભૂત વિગેરેના બલિના માટે તથા યાચક-કૃષ્ણ આદિને અર્થે રાખવામાં આવેલ, અથવા આધાકર્મ આદિની શંકાથી યુક્ત, તથા જાણ્યા વિચાર્યા વિના આહાર વિગેરે લેવાથી, અનેષણીય કોઈપણ વસ્તુને લેવાથી. પાણી વિગેરે પીવા યોગ્ય વસ્તુની એષણામાં કોઈ પણ પ્રકારની ખામી હોવાથી, વીન્દ્રિયાદિ-પ્રાણિ-મિશ્રિત, બીજયુક્ત, તથા હરિતકાયયુક્ત આહાર આદિ લેવાથી, પશ્ચાત્મકર્મિક (જેમાં આહાર આદિ ગ્રહણ કરી લીધા પછી હાથ-વાસણ આદિ ધોવાય) આહાર આદિ લેવાથી, અદૃષ્ટ જગ્યાએથી લાવવામાં આવેલી વસ્તુને લેવાથી, સચિત્ત પાણીથી ભીંજાયેલા હાથે આહાર આદિ ગ્રહણ કરવાથી, સચિત્ત જયુક્ત આહાર આદિ લેવાથી, દાતાર દ્વારા આમતેમ ઢોળાતા આહાર આદિ લેવાથી, કોઈ પાત્રમાં અકલ્પનીય વસ્તુ પડેલી હોય તેને ખાલી કરી તે જ પાત્રથી દેવામાં આવેલ આહાર આદિ લેવાથી અથવા વિના કારણે આહાર આદિ પરિઠવાથી અને વિના કારણે વિશિષ્ટ વસ્તુની યાચના કરી લેવાથી જે કાંઈ અતિચાર લાગ્યા હોય, તથા આધાકર્મ આદિ ઉદ્ગમદોષ, ધાત્રી આદિ ઉત્પાદના દોષ, અને શક્તિ આદિ એષણા દોષથી દૂષિત આહાર આદિ લેવાઈ ગયા હોય, ઉપભોગમાં લીધા હોય અથવા જે પરિષ્ઠાપિત ન કર્યા હોય “તસ મિચ્છામિ દુક્ષ". (સૂ. ૪). આગળ કહેવામાં આવેલા અતિચારોથી હું નિવૃત્ત થાઉં છઉં. દિવસ તથા રાત્રીના પ્રથમ અને છેલ્લા પ્રહરરૂપ ચાર કાળમાં મર્યાદા પૂર્વક પ્રવચનના મૂળપઠન રૂપ સ્વાધ્યાય ન કરવું, બન્ને સમય (દિવસના પહેલા અને પાછલા પ્રહર) માં પાત્રરજોહરણ આદિ ભંડ ઉપકરણનું સર્વથા અથવા સમ્યક્ પ્રકારે પ્રતિલેખન ન કર્યું હોય, તથા પાત્ર, ઉપાશ્રય આદિનો સર્વથા અથવા યતનાપૂર્વક પૂજવાનું કાર્ય ન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy