SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ ફામ - ટુબ્બર - કષાયયુક્ત અંતઃકરણની એકાગ્રતાથી આર્તરૌદ્ધધ્યાનરૂપ, Öિતિગો – કુર્વિવિન્તિત – ચિત્તની અસાવધાનતાથી વસ્તુના અયથાર્થસ્વરૂપમાં ચિતનરૂપ, ૩UTયા-મનાવરણીય સંયમિયોને અનાચરણીય - પિછિયેબ્લો ગષ્ટવ્ય હંમેશા નહી ઈચ્છવાયોગ્ય તથા સારો શ્રમણપ્રાયોગ્ય - સાધુઓના આચરણને અયોગ્ય હોય તેમજ જ્ઞાનમાં દર્શનમાં, ચારિત્રમાં તથા વિશેષરૂપથી શ્રત ધર્મમાં, સમ્યકત્વરૂપ તથા ચારિત્રરૂપ, સામયિકમાં તથા એના ભેદરૂપ યોગનિરોધાત્મક ત્રણ ગુપ્તિઓમાં, ચાર કષાયોમાં, પાંચ મહાવ્રતોમાં, છ જીવનિકાયોમાં ; ૧. અસંસૃષ્ટા ૨. સંસૃષ્ટા ૩. સંસૃષ્ટા-અસંસૃષ્ટા ૪. અલ્પલેપા. ૫. અવગૃહીતા ૬. પ્રગૃહીતા ૭. ઉઝિતધર્મિકારૂપ સાત પિંડષણાઓમાં, પાંચ સમિતિ ત્રણગુપ્તિરૂપ આઠ પ્રવચનમાતાઓમાં, બ્રહ્મચર્યની નવ વાડોમાં, દશ પ્રકારના શ્રમણધર્મની અંદર શ્રદ્ધા-પ્રરૂપણા-સ્પર્શનારૂપ શ્રમણયોગોમાંથી જેની કોઈની દેશની ખંડના અથવા સર્વથા વિરાધના થઈ હોય તે સર્વ પૂર્વે કહેલા અતિચારોથી મને લાગેલાં પાપ નિષ્ફળ થાય. તેવી રીતે દર્શન, ચારિત્ર્ય, સામાયિક, ચાર કષાય, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત તે સર્વના અતિચારોની ક્ષમાપના માગુ છું. ત્યારબાદ શિષ્ય ગુરુના આદેશથી દિવસના અપરાધ અને અતિચારની ક્ષમાપના યાચે છે, અને ગુરુને વિધિપૂર્વક વંદન કરે છે. ગમન આગમન સંબંધી અતિચાર કહીને શયન આદિમાં પડખું આદિ ફેરવવામાં થનારા અતિચારોની નિવૃત્તિ કહે છે. પૂંછમિ પમસિજ્જાઈ ત્યાઃ “હે ભગવાન” હું દિવસ-રાત્રિ સંબંધી શયન વિગેરે અતિચારોથી નિવૃત્ત થવાને ચાહું છું. તે અતિચાર અગર અધિક સુવાથી અથવા વિના કારણે સુવાથી અથવા અત્યંત કોમલ માટી શય્યા ઉપર સુવાથી તથા એવી પથારીનો નિત્ય ઉપયોગ કરવાથી, પથારી (સંથારા) ઉપર શરીરને પૂંજ્યા વિના કરવટ લેવાથી, પંજ્યા વિના અંગઉપાંગને સંકોચવા-પસારવાથી, જૂ આદિના અવિધિપૂર્વક સ્પર્શથી, અવિધિએ ઉધરસ વિગેરે ખાવાથી, અયતનાપૂર્વક છીંકવાથી તથા બગાસું ખાવાથી, પંજ્યા વિના ખંજોલવાથી અથવા સચિત્ત રજયુક્ત વસ્ત્રાદિકના સ્પર્શથી જે અતિચાર થાય હોય એ બધા જાગ્રત અતિચાર થયા, હવે સુપ્ત અતિચાર કહે છે -- એવું સ્વપ્ન અવસ્થા સંબંધી, મૂલોત્તર ગુણને દૂષિત કરવાવાળી અથવા યુદ્ધ, વિવાહ, રાજ્યપ્રાપ્તિ વિગેરે સાવદ્ય ક્રિયા અર્થાત્ સ્વપ્નમાં સ્ત્રીની સાથે સમાગમ, પ્રેમપૂર્વક સ્ત્રીનું જોવું, મનનો વિકાર, તથા આહાર-પાણીના સેવનરૂપી વિરાધનના કારણે મારાથી જે અતિચાર થયા હોય. ‘ત મિચ્છામિ દુ" Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy