SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુસુંદરમણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ૯૧ જાગતા હોવા છતાંય ઉત્તર નહિ આપવો, ૧૪, આહાર વગેરે લાવીને પ્રથમ નાનાની પાસે આલોચના કરવી, ૧૫. આહાર-પાણી આદિ લાવીને પ્રથમ નાના હોય તેને દેખાડવું, ૧૬ ગુરુજીને પૂછ્યા વિના પોતાની ઇચ્છાથી જ અન્ય નાના સાધુને નિમંત્રણ કરવું. ૧૭. ગુરુજીને પૂછ્યા વિના પોતાની ઈચ્છાથી જ અન્ય સાધુઓને આહાર આદિ આપવું. ૧૮, ગુરુની સાથે આહાર કરતાં પોતાને જે સારું લાગે તે પોતે જ ખાઈ જવું. ૧૯. કાર્યવશ ગુરુજી બોલાવે તો પણ ચૂપ રહી જવું. ૨૦. આસન ઉપર બેઠાં બેઠાં ઉત્તર આપવો. ૨૧. ગુરુજી બોલાવે ત્યારે “તત્તિ" નહિ કહેતાં “શું કહો છો ?” શું કહેવું છે ? એ પ્રમાણે જવાબ આપવો. ૨૨. ગુરુજીને “તું” શબ્દથી બોલાવવો. ૨૩. ગુરુની સામે પ્રયોજનથી અધિક નિરર્થક તથા કઠોર બોલવું, ૨૪. ગ્લાન આદિની વૈયાવૃત્ય કરવાની ગુરુદ્વારા આજ્ઞા મળતા “તમે કેમ કરતા નથી ?' એવો ઉત્તર આપવો, ૨૫. ધર્મકથા કરતા હોય ત્યારે ગુરુને ટોકવું, અર્થાત્ “આ પ્રમાણે નથી” એ પ્રમાણે છે", ઈત્યાદિ કહેવું. ૨૬. ધર્મકથા કરતા ગુરુજીને આપને યાદ નથી શું? આવી રીતે કહેવું, ર૭. ગુરુની ધર્મકથાથી પ્રસન્ન નહીં થવું, ૨૮. ગુરુજીની સભામાં છેદભેદ કરવું. ૨૯. ધર્મકથામાં “ગોચરીનો સમય થઈ ગયો છે' આ પ્રકારે બોલવું, ૩૦. બેઠેલી સભામાં ગુરુજીએ કહેલી કથાને બીજી વખત સુંદર રૂપથી કહેવી, ૩૧. ગુરુજી સમ્બન્ધી શય્યા સંથારાને પગ વડે કરીને સ્પર્શ કરવો. ૩૨. ગુરુજીની શય્યા વગેરે ઉપર બેસવું, ૩૩. ગુરુજીના આસન કરતાં ઉંચા આસન ઉપર બેસવું. આ તેત્રીશ આશાતનાઓ સંબંધી કોઈ અતિચાર લાગ્યા હોય તો તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. કુવિકલ્પ વગેરે મનનાં દુષ્કૃત, નિંદા અસત્ય વગેરે જાણીતાં દસ્કૃત, કાયાથી થયેલો અવિનય તે કાયદુષ્કૃત અને ક્રોધ, માન, માયા તથા લોભથી થયેલા દિવસના પાપોની આલોચના કરે છે. પછી ત્રણે કાળના અવિનયની આલોચના કરે છે. મુનિઓની સર્વવિરતિરૂપ સામાયિક લાવજજીવ હોય છે. એમાં પ્રમાદ આદિથી અતિચારની સંભાવના રહે છે, એટલા માટે સામાયિક નિરૂપણ કરીને તે પછી શિષ્ય કાયોત્સર્ગપૂર્વક અતિચારની આલોચના કરવા માટે પ્રથમ કાયોત્સર્ગની પ્રતિજ્ઞા કરીને દોષોની આલોચના કરે છે છામિ મ સ વગેરે. ઉલ્લંઘનરૂપ અતિચાર કરાયો હોય, ચાહે તો એ શરીરસંબંધી વચનસંબંધી મનસંબંધી, સુડેસૂત્રરુપ અર્થાત તીર્થકર ગણધર વગેરે ઉપદિષ્ટ પ્રવચનની વિરુદ્ધ પ્રરૂપણાદિ, ૩Hો ઉન્માર્ગરૂપ અર્થાતુ ક્ષાયોપશામિક ભાવનું ઉલ્લંઘન કરીને ઔદાયિક ભાવમાં પ્રવૃત્તિરૂપ, એપ્પો અકથ્ય, કરણચરણરુપ આચારરહિત અને એfો અકરણીય અર્થાત્ મુનિઓને નહિ કરવા લાયક હોય. ઉપર કહેલ એ બધા કાયિક તથા વાચિક અતિચાર છે. હવે માનસિક અતિચાર કહે છે - 'L ૩૨ છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy