SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ અનુજ્ઞાપના, અવ્યાબાધ, યાત્રા, યાપના અને અપરાધલક્ષણા એ છ સ્થાનોને સમજાવે છે. પ્રાણાતિપાત વગેરે સાવદ્ય યોગની નિવૃત્તિ-રૂપ સામાયિક વ્રતના ઉપદેશક તીર્થકરોનું ગુણોત્કીર્તન કરવામાં આવ્યું છે. તીર્થકરોએ ઉપદેશેલું સામાયિક વ્રત ગુરુ મહારાજની કૃપાથી જ પ્રાપ્ત થાય છે, એટલા માટે, તથા ગુરુવંદનાપૂર્વક જ પ્રતિક્રમણ કરવાનો શિષ્ટાચાર હોવાથી ગુરુવન્દના કરવી તે આવશ્યક છે, એ માટે હવે વંદન વિશે કહે છે. હે ક્ષમાશ્રમણ ! હું મારી શક્તિ અનુસાર પ્રાણાતિપાત આદિ સાવઘ (પાપકારી) વ્યાપારથી રહિત શરીર વડે વંદના કરવા ઈચ્છા કરું છું, એટલા માટે મને આપ મિતાવગ્રહ (જ્યાં ગુરુ મહારાજ બિરાજિત હોય તેમની ચારે બાજુ સાડા ત્રણ સાડા ત્રણ હાથ ભૂમિ) માં પ્રવેશ કરવાની આજ્ઞા આપો. તે સમયે ગુરુ શિષ્યોને ‘મનુના નામ' કહીને પ્રવેશવાની આજ્ઞા આપો. ત્યારે આજ્ઞા મેળવીને શિષ્ય કહે છે :- હે ગુરુ મહારાજ ! હું સાવધ વ્યાપારોને રોકીને શિર તથા હાથથી આપના ચરણનો સ્પર્શ કરું છું. આ પ્રમાણે વંદના કરવાથી મારા વડે આપને જે કોઈ પ્રકારથી કષ્ટ થયું હોય તો આપ મને ક્ષમા કરો. હે ગુરુ મહારાજ ! આપનો દિવસ ખૂબ શાંતિથી પસાર થયો છે કે કેમ? આપની સંયમયાત્રા નિરાબાધ છે કે કેમ? અને આપણું શરીર, ઈન્દ્રિય, નોઈન્દ્રિયની ઉપાધિથી રહિત છે કે કેમ? આ પ્રમાણે સંયમયાત્રા અને શરીરના સંબંધમાં કુશળતા પૂછીને શિષ્ય ફરીથી કહે છે કે :-હે ક્ષમાશ્રમણ ! મારાથી દિવસ સંબંધી જે કાંઈ અપરાધ થયો હોય તેની ક્ષમા માગું છું. આપ ક્ષમા કરો, આવશ્યક ક્રિયા કરવા વખતે ભૂલથી મારા વડે જે કાંઈ વિપરીત આચરણ થયું હોય તેનાથી નિવૃત્ત થાઉં છું. જેના કારણે જ્ઞાન આદિ ગુણ નાશ થઈ જતા હોય, અથવા સમ્યગ જ્ઞાનાદિ - રત્ન- ત્રયનો લાભ જેના દ્વારા ખંડિત થતો હોય તે ગુરુ સંબંધી ‘આશાતના” તેત્રીશ પ્રકારની છે : ૧. ગુરુની આગળ ચાલવું, ૨. બરાબર ચાલવું, ૩, અત્યન્ત નજીકમાં ચાલવું, ૩. ગુરુની આગળ ઊભા રહેવું, ૫. બરાબર ઉભા રહેવું, ૬, એકદમ નજીકમાં ઉભા રહેવું, ૭. ગુરુની આગળ બેસવું, ૮. બરાબર બેસવું, ૯. એકદમ નજીકમાં બેસવું, ૧૦. ગુરુની સાથે સંજ્ઞાભૂમિ જતાં ગુરુની પહેલાં શૌચ કરવું, ૧૧. ઉપાશ્રયમાં આવીને ગુરુના પહેલાં ઈર્યાવહી પ્રતિક્રમણ કરવું, ૧૨. ગુરુની સાથે વાર્તાલાપ કરવા માટે આવેલાની સાથે ગુરુ વાત કરે તે પહેલાં વાત કરવી, ૧૩. કોણ સૂતેલા છે ? કોણ જાણે છે ? આ પ્રમાણે રાત્રીએ ગુરુજી પૂછે ત્યારે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy