SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુસુંદરમણિકૃત પડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ૮૯ ઈતિ શ્રુતસ્તવ બાલાવબોધ. | સર્વ અનુષ્ઠાનને સફળ બનાવવા માટે, જેણે સઘળાં કાર્ય સિદ્ધ કર્યા છે, તેવા સિદ્ધન, જ્ઞાન દ્વારા સર્વ વસ્તુઓને જોઈ શકનાર બુદ્ધને કે જેઓ ચદમાં ગુણસ્થાનક સુધી પહોંચ્યા છે, અને લોકના અગ્રભાગે મુક્તિશિલા ઉપર બિરાજનાર સિદ્ધને મારા નમસ્કાર. જે તીર્થનું વર્ણન કરે છે, તેની સ્તુતિ કરવી જેમકે સિદ્ધાર્થસ્તવન, “ઊર્જિત સિલિસિહર- નેમિસ્તવનનો મહિમા ઘણો છે. દિગંબર અને શ્વેતાંબર વચ્ચેના વાદવિવાદમાં “ઊર્જિત સિલસિહરે” ના સ્તવનને કારણે શ્વેતાંબરોનો વિજય થયો હતો. અષ્ટાપદ તીર્થની સ્તુતિ કરી નમસ્કાર કરવા, શુક્રસ્તવનો પાઠ કરવો. ગંભીર સ્વર “ઉવસગ્ન હર પાસ પાસે વદામિએ વીતરાગ સ્તવન કર્મરૂપ ઘનપટને છેદનારું છે. તેની ગાથાઓ સમજાવી છે. આ સ્તોત્ર ભદ્રબાહુ સ્વામીએ સંઘના ઉપસર્ગ દૂર કરવા રચ્યું હતું. તે પછી મુક્તા શુક્તિ મુદ્રા કહી છે. જય-વીયરાય સ્તોત્રનો પાઠ. સર્વ દેવ-દાનવ મહિ ઉત્કર્ષ કરનાર અને રાગ-દ્વેષ જેના દૂર થયા છે તે વીતરાગ. હવે મનની ઈચ્છા કહે છે “હે ભગવાન તારા પ્રભાવથી સંસાર ઉપર નિર્વેદ, વૈરાગ્ય થજો, હઠાગ્રહને પરહરું, સાચું તપ કરું, આ લોકનાં ફળ, આજીવિકાની ચિંતા ન હોજો, વાંછિત ધનાદિકની પ્રાપ્તિ થજો, સર્વ લોકવિરુદ્ધ ચોરી અને પરદારાગમનનો ત્યાગ થજો. માતા-પિતા અને ધર્મ પ્રત્યે દોરનાર ગુરુની પૂજાભક્તિ, પરોપકાર અને ગુરુના વચનની સેવના કરવી...વગેરે. - ઇતિ ચૈત્યવંદના સ્તવનનો બાલાવબોધ ગુરુવંદનાનો વિચાર નવ દ્વારો દ્વારા કરવામાં આવે છે. વંદના કોને કરવી જોઈએ, કોના દ્વારા થવી જોઈએ. ક્યારે થવી જોઈએ, કેટલી વાર થવી જોઈએ, વંદના કરતી વખતે કેટલીવાર નમવું જોઈએ, કેટલીવાર મસ્તક નમાવવું જોઈએ, કેટલા આવશ્યકોથી શુદ્ધ થવું જોઈએ, કેટલા દોષોથી મુક્ત થવું જોઈએ, અને વંદના શા માટે કરવી જોઈએ. વંદન કરનાર પંચમહાવ્રતી, આલસ્યરહિત, માનરિવર્જિતમતિવાળો, સંવિગ્ન અને નિર્જરાર્થી હોવો જોઈએ. જે ધર્મકથા વગેરેથી પારાંગડમુખ છે, પ્રમત્ત છે તેને વંદના ન કરવી જોઈએ. જે સમયે વંદનીય વ્યક્તિ આહાર અથવા નીહાર કરી રહી હોય તે સમયે વંદના કરવી જોઈએ નહિ. જે હંમેશાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય આદિથી સંયુક્ત છે તે જ વંદનીય છે. ચોવીસ પ્રકારના આવશ્યકોથી શુદ્ધ થઈને અને બત્રીસ દોષોથી મુક્ત થઈને વંદના કરવી જોઈએ. વંદના કરતી વખતે બે વાર નમવું જોઈએ. બાર આવર્ત લેવા જોઈએ : ૧. અહો, ૨. કાય, ૩. કાય, ૪. જતાભે, ૫. જવણ, ૬. જર્જ ચ ભે. આ બે વાર બોલવાથી બાર આવર્ત થાય. તથા ચાર વાર શિર નમાવવું જોઈએ. ઈચ્છા, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy