SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યત્ર એ અર્થ સમર્થ યથાર્થ નથી. હે ભગવન! મંદકુમાર કે મંદકુમારીકા આહાર કરતા જાણે કે, “હું આહાર કરું છું? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! મંદકુમાર કે મંદકુમારીકા જાણે કે “આ મારા માતાપિતા છે? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન! મંદકુમાર કે મંદકુમારીકા એમ જાણે કે, “આ મારા સ્વામિનું ગૃહ છે ? હે ગૌતમ! સંજ્ઞા સિવાય એ અર્થ સમર્થ નથી. હે ભગવન! મંદકુમાર કે મંદકુમારીકા એ જાણે કે, “આ મારા સ્વામિનો પુત્ર છે”? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ યથાર્થ નથી. હે ભગવન્! ઊંટ, બળદ, ગધેડો, ઘોડો, બકરો અને ઘેટો બોલતો એમ જાણે કે, “હું બોલું છું? હે ગૌતમ! સંજ્ઞા સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. ૪૫ પ્રશ્ર ઉત્તર હે ભગવન! કેટલા પ્રકારના વચન કહ્યાં છે? હે ગૌતમ! સોળ પ્રકારના. (૧) એકવચન, (૨) દ્રિવચન, (૩) બહુવચન, (૪) સ્ત્રીવચન, (૫) પુરૂષવચન, (૬) નપુંસકવચન, (૭) અધ્યાત્મવચન, (૮) ઉપનીતવચન, (૯) અપની તવચન, (૧૦) ઉપનીતાપનીતવચન, (૧૧) અવનીતોપનીતવચન, (૧૨) અતીત વચન, (૧૩) પ્રત્યુત્પન્નવચન, (૧૪) અનાગતવચન, (૧૫) પ્રત્યક્ષવચન અને (૧૬) પરોક્ષ વચન. એ પ્રમાણે એ ૧૬ વચનને બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે? એ ભાષા મૃષા નથી? હે ગૌતમ! અવશ્ય એ પ્રમાણે એ સોળ વચન બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે, એ ભાષા અસત્ય નથી. (૫૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy