SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પ્રશ્ન ઉત્તર કરે છે, સુરક્ષિત રાખે છે, તેમાં પ્રેરણા આપે છે. જેથી માનવની બુદ્ધિ મુંઝાઈ જાય છે. તેની સાથે જ્યારે જ્ઞાનાવરણીય કે મતિજ્ઞાનાવરણીય કર્મનું મિશ્રણ થાય છે ત્યારે પરિગ્રહ વિના ફેશનેબલ, હાટ, બંગલા અને વ્યાપાર દ્વારા લાખો કરોડોને કમાવ્યા વિના શી રીતે ચાલે ? અને શરાબપાન જેવું મોહકર્મ સાથીદાર બને છે ત્યારે એક પણ ધર્મવાક્યને સાંભળ્યા કે શ્રદ્ધામાં ઉતાર્યા વિના ‘પરિગ્રહ’ને જ ધર્મ માનતાં કહે છે કે, ‘‘વ્યાપારમાં સાચા ખોટા, વ્યાજના ગોટાળા કે તોલમાપમાં ન્યાય જોવા બેસીએ તો શ્રીમંત બનવાનો સમય ક્યારેય પણ આવે જ નહિ. વ્યાખ્યાનની પાટ પરથી આચાર્ય ભગવંતોને કહેવાનો ધર્મ છે અને આપણને સાંભળવાનો, બાકી તો ભાઈ, મહારાજોની વાતો માનીએ તો વગ૨ પાણીએ હજામત થઈ જાય તેમ છે.'' આવાં કારણોને લઈ પરિગ્રહધારીના જીવનમાં હિંસા, જૂઠ, ચોરી અને મૈથુન પાપોનું તથા હદ બહાર થયેલા કષાયોનું પ્રાબલ્ય આદિ પાપો એક પછી એક આવતાં જ રહે છે. ઘણીવા૨ તે પાપોના ભાવો, જ્યારે અત્યુગ્ર બને છે ત્યારે તેને પૈસા કમાવવાની ધૂન સિવાય બીજા એકેય કાર્યમાં રસ હોતો નથી. પાપનો બાપ લોભ શા માટે કહેવાયો? પાપના ઉત્પાદનમાં, વર્ધનમાં, લોભ મૌલિક કારણ હોવાથી પાપનો બાપ લોભ કહેવાય છે. સંસારના ઈતિહાસમાંથી, આપણા તથા પાડોશીઓના જીવન વ્યવહારમાંથી થયેલો અનુભવ જ સાક્ષી આપી રહ્યો છે કે નાની ઉંમરનો સત્ય પ્રતિજ્ઞ, ધર્મનો સંસ્કારી, માતા પિતાનો પૂજક, ભક્તામરનો ગાયક, અતિચાર સૂત્રનો પાઠક, આવતીકાલે પ્રતિજ્ઞા ભ્રષ્ટ, Jain Education International 2010_03 ૫૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy