SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ પ્રશ્ન ઉત્તર યોજનમાંથી ઉપર નીચેના ૧૦-૧૦ યોજન છોડી શેષ ૮૦ યોજનમાં વાણવ્યંતર દેવો રહે છે. તથા જંગલો, તુટેલ મકાનોમાં, મોટા મોટા ઝાડ ઉપર પણ તે દેવો રહે છે. મેરૂપર્વતની સમતલ ભૂમિથી ૭૯૦ યોજનથી ૯૦૦ યોજન સુધીમાં જ્યોતિષ દેવો રહે છે. તે આ પ્રમાણે ઃ ૭૯૦ પર તારાના વિમાનો, ત્યાંથી ૧૦ યોજનમાં સૂર્યના વિમાનો, ત્યાંથી ૮૦ યોજનમાં ચંદ્રના વિમાનો, ચાર યોજન નક્ષત્ર અને સોળ યોજનમાં ગ્રહોના વિમાનો છે. ભવનપતિ અને વ્યંતરો પ્રાયઃ કરી અધોલોકમાં, જ્યોતિષ દેવો તિરછાલોકમાં અને વૈમાનિક દેવો ઉર્ધ્વ લોકમાં છે. ભૌતિકવાદની સીમા સમાપ્ત થયેલી હોવાથી મોહકર્મથી ગ્રસ્ત હોવાના કારણે તે દેવો ભોગ વિલાસી છે. આવી રીતે શ્રીમંતોને પણ જાણવા. પરિગ્રહની માયાનું મૂળ કારણ શું છે ? સંપૂર્ણ મનુષ્યલોકમાં મહાવ્રતધારી મુનિરાજો પરિગ્રહસંજ્ઞા અને લોભસંજ્ઞાથી હજારો માઈલ દૂર છે, અને સમ્યગજ્ઞાન દ્વારા સ્વીકારેલા દેશવિરતિ - અણુવ્રતધારી શ્રાવક, નિરર્થક પાપબંધન થાય તેવા પરિગ્રહનો ત્યાગી હોવાથી કેવળ અનિવાર્ય-રૂપે અલ્પ પરિગ્રહનો જ ધારક છે. આ બંનેને છોડી જેઓ વ્રત વિનાના છે, તે બધાય પરિગ્રહ નામના મહાગ્રહથી પૂર્ણરૂપે ગ્રસ્ત છે. તેઓ નથી તો પરિગ્રહની માયા છોડી શકતા કે નથી તેની મર્યાદા કરી શકતા. કેમ કે ‘તં = પુળ પાિહ મમાયંતિ નોમવસ્થા' એટલે કે, સમસ્ત પ્રાણીઓ લોભ નામના રાક્ષસથી ઘેરાયેલા હોઈને સવારથી શયનાવસ્થા સુધી ‘મારૂં-મારૂં’ કરતાં રહે છે. આના કારણે માનવ પ્રત્યેક પદાર્થને ઈચ્છે છે, ગ્રહણ કરે છે, એકના ડબલ Jain Education International 2010_03 ૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy