SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સત્કર્મોની સેવનાથી નિયાણા વિના બાંધેલ મનુષ્યાવતારને મેળવેલા દાનવો, કદાચ સંસારમાં પ્રવેશ કરશે તો પણ બ્રહ્મચર્ય ધર્મ પ્રત્યે રાગવાળા હોવાથી મૈથુનને પાપ સમજશે અને જેમ બને તેમ કાળા કર્મોને કરાવનારી બધીય રાત્રિઓને અથવા બે-ચાર રાત્રિઓની ખુલી રાખી બીજા રાત્રિઓને સંયમવ્રતની મર્યાદામાં પૂર્ણ કરશે. તેમ કરતાં કદાચ કોઈક સમયે મનમાં તોફાન જાગે તો પણ સસ્વાધ્યાય અને સંત સમાગમપૂર્વક આયંબીલ, ઉપવાસ દ્વારા પોતાના મનને સ્વાધીન કરશે. અથવા ગૃહસ્થાશ્રમ ભાગ્યમાં ન હોય તો નાની ઉંમરથી જ વૈરાગ્ય રાજાની છાવણીમાં પ્રવેશ કરી, પોતાના મન-વચન અને કાયાનો અવરોધ કરી ઉર્ધ્વગતિ તરફ પ્રયાણ કરશે. સારાંશ કે, બીજા અને ત્રીજા નંબરના ભાગ્યશાળીઓ તો લાખો માણસોમાં બે કે ચાર જ મળશે, જ્યારે પહેલા નંબરના અતિનિકાચિત વેદકર્મના ઉદયવાળાઓને ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં પણ વેદકર્મને જોરદાર ભડકાવવા માટે રંગમહેલ, પલંગ, મચ્છરદાની, પોષાક, ખાનપાન, સુગંધી દ્રવ્યો તથા કેરોસીન છાંટેલા અગ્નિના ભડકા જેવા નૃત્યગાન, ચિત્રો, નાટકો, નવલકથાઓ ઉપરાંત શરાબપાન, ભાંગ, અફીણની ગોળીઓ (નાઈટ પીલ્સ) તે ઉપર દૂધ, કેસર-માવા, મલાઈ, માખણ, મીષ્ટાન્નના ભોજનને ક્યારેય પણ છોડી શકે તેમ નથી. કદાચ કમભાગીને સ્ત્રીની પ્રાપ્તિ સુલભ ન રહે તો પણ પ્રબળ વેગવાળો અતિનિકાચિત વેદકર્મી, જંગલવાસી, સંન્યાસી કે દ્રવ્યજ્ઞાની બનશે, તો પણ તેની સાધના સફળ બનતી નથી. કદાચ સાધન મળે તો પણ તેમને તે ભોગ-વિલાસોમાંથી શાંતિ મળતી નથી, તૃપ્તી થતી (૪૯) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy