SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ પ્રશ્ન ઉત્તર ૩૩ પ્રશ્ન ઉત્તર ગુણ જણાવતાં કહે છે કે ગુરૂ આચારવાન, આધારવાન, વ્યવહા૨વંત, અપગ્રીડક (આલોચક લજ્જાથી દોષ પ્રગટ ના કરે તો મધુર વચનથી સમજાવે) પ્રકુર્વક (શિષ્યનું ચારિત્ર શુદ્ધ ક૨ના૨), અપરિસાદ્રી (એકબીજાના અપરાધ ગુપ્ત રાખનાર) નિર્યાપક (શિષ્યની શક્તિ પ્રમાણે જ પ્રાયશ્ચિત આપવું), અપાયદર્શી (શિષ્યના હિતને અનુલક્ષીને સંયમના દૂષણો બતાવે). ધર્મધ્યાનના માલિક કોણ કોણ ? સાત, આઠ, નવ, દેશ, અગ્યાર અને બારમે ગુણ સ્થાનકે રહેનારા મુનિ વિશેષો જ ધર્મધ્યાનનો અધિકારી બનવા પામે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની મર્યાદા છઠ્ઠા ગુણ સ્થાનકે સમાપ્ત થાય છે. માટે સાતમે અપ્રમત્ત ગુણ સ્થાનકે ધર્મધ્યાનની પ્રાપ્તિ સુલભ બને છે તથા જ્યાં મોહ અને કષાય સંપૂર્ણ ઉપશાંત થાય તે અગ્યારમે સંપૂર્ણ ક્ષય થાય. તે બારમે ગુણ સ્થાનકે પણ ધર્મધ્યાનની વિદ્યમાનતા છે. કેમ કે અગ્યારમે અને બારમે ગુણ ઠાણે રહેનારા પુણ્ય પવિત્ર સાધકો યદ્યપિ કેવળજ્ઞાનની મર્યાદામાં આવી ચૂક્યા છે તો પણ હજુ છદ્મસ્થ છે. ક્રિયાવાદી એટલે શું? ક્રિયા માત્ર કર્તા વિના બનતી નથી અને તે કર્તા આત્મા સિવાય બીજો કોઈ નથી. બેશક ક્રિયાની નિષ્પત્તિમાં કર્મ, કરણ, હેતુ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કોઈને કોઈ નિમિત્ત બનતા હોવા છતાં ક્રિયાનો કારક તો આત્મા પોતે જ હોય છે માટે આત્માના અસ્તિત્વને માનનારા Jain Education International 2010_03 33 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy