SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રશ્ન ઉત્તર ક્રિયાવાદીઓ છે. ક્રિયાવાદીઓ ક્રિયાને પ્રાધાન્ય આપનારા, જીવાદિનવ તત્ત્વનો સ્વીકાર કરનારા હોય છે. છદ્મસ્થ એટલે શું? આમાં ‘છદ્મ’ અને ‘સ્થ’ બે શબ્દો છે. આવશ્યક સૂત્રમાં છદ્મનો અર્થ કર્મ દર્શાવ્યો છે. જેની સંખ્યા આઠની છે.‘છદ્મ’ આવરણમ્ - ભગવતી સૂત્રના સાતમાં સૂત્રમાં ‘છદ્મ’ નો અર્થ આવરણ કરાયો છે. આવરણ એટલે બીજાને ઢાંકી દેવું, પ્રસ્તુતમાં આત્માની અનંત જ્ઞાનશક્તિ, દર્શન શક્તિ, વીર્ય શક્તિ અને અવ્યાબાધ સુખ શક્તિનું જેનાથી આવરણ થાય તે શક્તિઓ જેનાથી દબાઈ જાય, હણાઈ જાય, કમજોર થાય તે આવરણ છે. આવો છદ્મભાવ જેની પાસે હોય તે છદ્મસ્થ કહેવાય છે. ૩. પણ્ડાવાગરણ અને વિવાગસુય નામ અને વિભાગ - પ્રશ્નો (પછ્હ) અને તેનું સ્પષ્ટીકરણ (વાગરણ) રજૂ કરનારો ગ્રંથ તે ‘પછ્હાવાગરણ’ એમ આ અંગના નામનો શબ્દાર્થ છે. એમાં બે દા૨ (દ્વાર) રૂપ બે વિભાગ છે : (૧) આસવ - દાર (આશ્રવ-દ્વા૨) અને (૨) સંવર-દાર (સંવર-દ્વાર). આ બંનેમાં પાંચ પાંચ અલ્ઝયણ છે. નંદીમાંના આ નામના ગ્રંથમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો, ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાતિશયો, તેમજ નાગકુમાર અને અન્ય ભવનપતિઓની સાથે મુનીઓની વાતચીત હોવાનો ઉલ્લેખ છે. આથી એમ કહી શકાય કે વિદ્યાઓ, મંત્રો અને અતિશયોને લગતો વિભાગ આજે લુપ્ત બન્યો છે. આ ઉપલબ્ધ અંગ એક સુયખૂંધરૂપ છે, એમાં એકસરા દસ અલ્ઝયણો છે ને દસ દિવસમાં એનો ઉદ્દેશ કરાય છે એમ અન્તમાં ઉલ્લેખ છે. Jain Education International 2010_03 ૩૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy