SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે. જીવ કર્માધીન છે અને કર્મોને ભૂત-ભવિષ્ય તથા વર્તમાન કાળ સાથે સંબંધ છે તથા ભૂતકાળના ભોગવેલા પદાર્થોના વિકલ્પો જીવ જે કરતો હોય છે અથવા ભાવી કાળમાં સુખ-દુ:ખ, સંયોગો અને વિયોગોનાં કંન્દો ભોગવવાનાં હોય ત્યારે પણ તેને સૂચિત કરનારાં સ્વપ્નો જીવને આવે છે. ૨૩ પ્રશ્ન એક વિમાનમાં બે દેવોની વચ્ચે સુંદરતાદિમાં ફરક શા માટે? ઉત્તર ભગવંતે જવાબ આપતા ફરમાવ્યું કે હે ગૌતમ! દેવગતિમાં ઉત્પન્ન થનારા દેવો બે પ્રકારના હોય છે અને તે સ્થાનને પ્રાપ્ત કરતા પહેલા પણ તેમનાં જીવન, ભાષા-વ્યવહાર જુદા જુદા હોવાથી બંધાયેલા પુણ્યકર્મમાં પણ તફાવત હોય છે. પહેલો દેવ સરળતા અને સમ્યક્ દર્શનની આરાધનાથી બાંધેલું તીવ્ર રસવાળું નામકર્મ. અને બીજાએ શકતા, આદિ માયા મિથ્યાત્વદર્શન સેવનથી બાંધેલું મંદ રસવાળું વૈક્રિય નામકર્મ. આ પ્રમાણે બંને દેવોના નિમિત્તા જુદા જુદા હોવાથી એમના પુણ્યમાં પણ ફેર છે. સમ્યક્દર્શનની હાજરીમાં અશુભ કર્મોને બાંધવાની લાયકાત ન હોવાથી સાધકનું જીવન અહિંસક, સંયમી અને તપોધર્મ યુક્ત હોય છે. તેવી અવસ્થામાં અસંખ્યાતા અને અનંત જીવોને અભયદાન દેવાવાળો, દાન કરવાવાળો અને તપોધર્મની આરાધના કરવાવાળો, સૌ પ્રત્યે મૈત્રીભાવ રાખનારો છે. પહેલા દેવને બાહ્ય અત્યંત સુંદરતા છે જ્યારે બીજા દેવને તેનાથી વિપરીત સ્થિતિ હોય છે. ૨૪ પ્રશ્ર યક્ષાવેશમાં કેવળી શું મૃષાભાષા બોલે? ઉત્તર ભગવંતે ઉત્તર આપતા ફરમાવ્યું કે હે ગૌતમ! આ કથન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy