SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર બિરાજતો મેં તો પહેલે સુપને દીઠો વિશવાવીશ હાપ ભગવાનના લંછનની પૂજા કરવાની હોતી નથી. ૧૧૦૪ પ્રશ્ન જય વિયરાય સૂત્ર બે હાથ જોડી (ભેગા કરી) ઊંચા કરીને શા માટે બોલવું પડે છે? ઉત્તર જયવીયરાય સૂત્રમાં આપણે પ્રભુ પાસે માંગવાનું હોય છે માટે બે હાથ જોડી મસ્તકે લગાડી જયવીયરાય સૂત્ર બોલવાનું છે. ભવ નિર્વેદ - માર્ગાનુસારીપણું- ઈષ્ટફલસિદ્ધ - ગુરૂપૂજન પૂજા - સમાધિમરણ વગેરે જયવીયરાયસૂત્રમાં માંગીએ છીએ. માટે આ સૂત્રનું બીજું નામ પ્રાર્થના સૂત્ર પણ છે. ૧૧૦૫ પ્રશ્ન દેરાસરમાં વપરાતાં સાધનોને ઉપકરણો કેમ કહેવાય છે? તે ઉપકરણના નામો અને તેના ઉપયોગ સમજાવો. દેરાસરમાં વપરાતાં સાધનને ઉપકરણ કહેવાનું કારણ એ છે કે તે સાધનો આપણને પૂજા વગેરે કરવામાં ઉપકાર કરે - મદદ કરે છે માટે તેને ઉપકરણ કહેવાય છે. (ઉપકાર કરી તે ઉપકરણ) ત્રિગડું - સિહાસન - ચામર ત્રણ છત્ર - આરતી - મંગલદીવો - થાળી-વેલણ - ભંડાર - ઘટ ઘંટડી - પાટલો – થાળી વાટકી - કેશર - સુખડ – બરાસ - અંગ લૂંસણા - વાળાકુંચી- સળી - ધૂપીયુ - મોરપીંછી - પૂંજણી - તાંબાકુંડી - કળશ - અરીસો – નાડાછડી - ભામંડલ – આંગી – મુગટ - પંખો આ ઉપયોગ તો આપણને બધાને ખબર છે જ. ૧૧૦૬ પ્રશ્ન જૈન ધર્મના બીજા નામો કયા છે? ઉત્તર જૈન ધર્મના બીજા નામો - દયાધર્મ, સ્યાદ્વાદ ધર્મ, આહંતુ દર્શન - જિન દર્શન વગેરે નામો છે. (૪૨૮) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy