SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ શાસન દેવ કે દેવીની પૂજા કંઈ આંગળી વડે કરવી જોઈએ? ઉત્તર આપણે દેરાસરમાં પૂજા કરવા જઈએ ત્યારે ત્યાં તીર્થકર ભગવાનની મૂર્તિની તથા શ્રી સિદ્ધચક્ર ભગવાન સિદ્ધચક્રજીનો ગટઢો વીશ સ્થાનક યંત્ર વગેરેની પૂજા કરવાની હોય છે અને તે પૂજા અનામિકા આંગળી વડે કરવાની છે. પછી છેલ્લે અષ્ટમંગલની પૂજા લોકો કરે છે. પણ તેમાં સમજણ ફેર છે. અષ્ટમંગલની પૂજા કરવાની નથી પણ અષ્ટમંગલ તો પૂજાનું સાધન છે. ખરી વાત એ છે કે પ્રભુની પૂજા પૂરી થયા પછી પ્રભુની સન્મુખ મંગલ નિમિત્તે અષ્ટમંગલ આલેખવાના બનાવવાના છે તે બનાવતાં બધાને ન આવડે - ન ફાવે માટે અષ્ટમંગલની પાટલી બનાવીને મૂકી એટલે એ પાટલી પર બેત્રણ આંગળી વડે કેસરનું વિલેપન કરવું અને કરતાં એમ ભાવના ભાવવી કે હું અષ્ટમંગલ બનાવી રહ્યો છું ત્યારબાદ છેલ્લે શાસનરક્ષક દેવ-દેવીની પૂજા આવે પણ તે જ પૂજા અનામિકા આંગળી વડે નથી કરવાની પણ અંગૂઠા વડે કપાળમાં સાધર્મિક તરીકે તિલક કરવાનું છે. ભગવાનની મૂર્તિમાં જે લંછન અને સર્પની ફણા હોય છે તેની પૂજા કરવાની નથી. ૧૧૦૩ પ્રશ્ન ભગવાનની મૂર્તિમાં પલાઠી નીચે વચલા ભાગમાં જે લંછન હોય છે તે શેના માટે ? અને તે લંછન સાક્ષાત્ ભગવાન હોય તો તેમને ક્યાં હોય? તેની પૂજા થાય ખરી? ઉત્તર ભગવાનની મૂર્તિમાં પલાઠી નીચે વચલા ભાગમાં જે લંછન હોય છે તે લંછન સાક્ષાત્ પ્રભુ વિચરતાં હોય ત્યારે તેમની જમણી જાંઘમાં હોય છે. આપણે ભગવાન મહાવીર સ્વામીના હાલરડામાં બોલીએ છીએ. નંદન જમમઈ જંઘે લંછન સિંહ (૪૨૦) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy