SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોપનિષદમાં છ પ્રશ્નોત્તરો છે કબંધીના પ્રશ્નનું ઉદાહરણને મૂળ ઉપનિષદની ભાષામાં જોઈએ તો નીચે પ્રમાણે છે. अथ कबन्धी कात्यायन उपेत्य प्रपच्छा । भभव कुतो वा इमा प्रजा प्रजायन्ते इति ॥ 3 ।। तस्मै स होव य प्रजाकामो वै प्रजापतिः स तपोडतप्पेत सपतस्तप्त्या समिथुन मुत्पादयते रचि च प्राण चेत्येतौ मे बहुधा प्रजा करिष्यते इति ।।4।। એક વર્ષ પુરૂં કરીને કાત્યાયન કબંધીએ પિપ્લાદ પાસે જઈને પૂછ્યું કે હે પ્રભુ ! આ સર્વ પ્રજાઓ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? તે કહો ત્યારબાદ તેમણે પિપ્લાદ ૠષિએ કહ્યું, ‘પ્રજાપતિને જ પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છા હોવાથી તેમણે સર્વ પ્રથમ તપ કર્યું. તપાચરણ પછી પ્રજાપતિએ રચિ (અન્ન) પ્રાણ (અગ્નિ) એ જોવું ઉત્પન્ન કરી વિચાર્યું કે આ બે મારે માટે અનેક પ્રશ્ન ઉત્પન્ન કરશે.’’ ઉપરોક્ત પ્રશ્નોત્તર ઉદાહરણ રૂપે નોંધવામાં આવ્યો છે. તેમાંથી બીજા પણ પ્રશ્નો છે તે મૂળ ઉપનિષદમાં સંચય થયો છે. વિશેષ જિજ્ઞાસા માટે મૂળ ઉપનિષદ્ વાંચવા ભલામણ છે. ૨૫. પ્રશ્નોત્તરી સ્વામી શ્રી શંકરાચાર્ય એ વિરચિત પ્રશ્નોત્તરી મણિરત્ન માલાની રચના ક૨ી છે. મૂળ સંસ્કૃત શ્લોકમાં પ્રશ્નોત્તરનો સમાવેશ થયો છે તેનો અનુવાદ પણ હિન્દીમાં આપવામાં આવ્યો છે. કવિ પંડિત વીર વીજયજીનો પ્રશ્નોત્તર ચિંતામણિ ગ્રંથ આ શૈલીનો છે. બધાં જ પ્રશ્નો આત્માના સ્વરૂપને પામવા માટે ઉપયોગી વિચારો પ્રગટ કરે છે. નમૂના રૂપે પ્રશ્નોત્તર જોઈએ તો નીચે પ્રમાણે છે. Jain Education International 2010_03 ૪૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy